અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday, 19 February 2015

પ્રવાસ - પર્યટન - ૨૦૧૫

                                                              પ્રવાસ - પર્યટન - ૨૦૧૫ 

                             તારીખ - ૧૯/૨/૨૦૧૫ ને ગુરુવારના દિને અમારી શાળાના ધોરણ - ૧ થી ૫ ના બાળકો માટે શાળાએ એક દિવસીય પ્રવાસ - પર્યટનનું આયોજન કર્યું. આજના પ્રવાસ - પર્યટનમાં ધોરણ ૧ થી ૫ ના કુલ ૧૨૦ બાળકો અને ૯ શિક્ષકો જોડાયા. પ્રવાસના સ્થળો હતા બીલીમોરાનું પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિર, આલીપોરની દુધની ડેરી , ઉનાઈનું ઉષ્ણ મંદિર અને ગરમ પાણીના કુંડ, ધરમપુરનું પ્રખ્યાત વિજ્ઞાન ભવન તથા બરૂમાળનું ભાવભાવેશ્વર મંદિર અને તિથલનો દરીયાકીનારો - સાઈબાબા મંદિર અને સ્વામીનારાયણ મંદિર. 
                 આજના પ્રવાસ-પર્યટન દ્વારા બાળકોને પર્યાવરણ પરિચય આપવામાં આવ્યો.






તાલુકા કક્ષા તરુણ મહોત્સવ - ૨૦૧૫

                                               
                                                તાલુકા કક્ષા તરુણ મહોત્સવ - ૨૦૧૫ 
                   આજ રોજ ગણદેવી તાલુકાનો  તરુણ મહોત્સવ  તાલુકાની ભાઠા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો. આજના તાલુકા કક્ષાના તરુણ મહોત્સવમાં અમારી શાળાએ બે કૃતિમાં ભાગ લીધો. જેમાં એક કૃતિ  ચિત્રકલા. ભાગ લેનાર વિદ્યાર્થીની  સેલ્વી બિપિનચંદ્ર પટેલ  અને બીજી કૃતિ નિબંધ લેખન. ભાગ લેનાર વિદ્યાર્થીની ચૈતાલી અનિલભાઈ પટેલ. જેમાં અમારી શાળાએ બંને કૃતિમાં તાલુકા ક્ક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળા અને ગામનું નામ રોશન કરેલ છે. બંને કૃતિમાં ભાગ લેનાર બાળકો અને   કૃતિને માર્ગદર્શન આપનાર શાળાના શિક્ષકો શ્રી શંકરભાઈ પટેલ અને શ્રી શૈલેશભાઈ પટેલને આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે અભિનંદન આપી બિરદાવ્યા. બંને કૃતિ હવે વાંસદાના તાલુકાના લિમઝર ખાતે જીલ્લા ક્ક્ષાના તરુણ મહોત્સવમાં પ્રતિનિધિત્વ કરશે.
                                તસ્વીર ----
વિદ્યાર્થીનીને પ્રોત્સાહિત કરતા તાલુકા પ્રા.શિ. અધિકારીશ્રી 

વિદ્યાર્થીનીને પ્રોત્સાહિત કરતા શાળાના આચાર્યશ્રી 

                      

Monday, 9 February 2015

શૈક્ષણિક પ્રવાસ-2015

                  શાળામાંથી દર વર્ષ ની માફક આ વર્ષે પણ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.
                      ચાલુ વર્ષે શાળામાંથી દક્ષિણ ભારત દર્શન પ્રવાસ યોજવામાં આવ્યો.પ્રવાસના સ્થળો પોંસરી થી ઘુશ્મેશ્વર , હૈદરાબાદ , તિરુપતિ બાલાજી , રામેશ્વરમ્ , કન્યાકુમારી અને મદુરાઈ સુધી રાખવામાં આવ્યું. જે તારીખ - ૩૧-૧-૨૦૧૫ થી ૮-૨-૨૦૧૫ સુધી દિન - ૮ માટે થયું.
                 શાળાના આ શૈક્ષિણક પ્રવાસમાં ધોરણ- ૫ થી ૮ ના કુલ ૬૩ બાળકો અને ૧૦ શિક્ષકો જોડાઈ એક બસ દ્વારા દક્ષિણ ભારતનો પ્રવાસ ખેડવામાં આવ્યો. યોજવામાં આવેલ પ્રવાસ દ્વારા શાળાને અને બાળકોને મોટી સફળતા પ્રાપ્ત થઇ. પ્રવાસના સ્થળો આધ્યાત્મીકની સાથે સાથે શૈક્ષણિક પણ હતા. આધ્યાત્મિક દર્શન તેમજ ભારતીય સંસ્કૃતિની વિવિધતા જેમકે ભૂપુષ્ઠ, ભારતીય લોકજીવન , પહેરવેશ , સામાજિક રીતે રીવાજો , પરંપરાઓ , માન્યતાઓ , ધાર્મિક વિધિઓ , વિવિધ પ્રાદેશિક ભાષાઓ અંગેની વિભીન્તાઓનો ખ્યાલ મળ્યો. પ્રવાસ દ્વારા લગભગ અડધા ભારતના દર્શનથી બાળકોને વિભીન્તાઓનો પ્રત્યક્ષ ખ્યાલ મળ્યો. દક્ષિણ ભારતના રાજ્યો મહારાષ્ટ્ર , તેલંગાણા , આંધ્રપ્રદેશ , તમિલનાડુ અને કર્નાટક રાજ્યના મહત્વના ભોગોલીક ભાગો માંથી પસાર થવાનું થયું. જેના દ્વારા બાળકો અને શિક્ષકોને ત્યાનો ભોગોલિક વિસ્તાર અને ખેત-પેદાશનો પ્રત્યક્ષ ખ્યાલ મેળવ્યો. હૈદરાબાદ સ્થિત બિરલા મંદિરના દર્શન કરી મંદિર પરિસરમાંથી ચારે તરફ જોતાં હૈદરાબાદ શહેરનો સંપૂર્ણ નજરો જોવા મળ્યો. મક્કા મસ્જીદ , ચાર મીનાર , એશિયાનું પ્રથમ નંબરનું સલાર જંગ મ્યુઝિયમ નિહાળ્યું. અને સ્નો-વલ્ડમાં બરફ સાથે મોજ કરી. ત્યાર બાદ તિરુપતિ સ્થિત બાલાજી ભગવાનના દર્શન કર્યા. આધ્યાત્મિક રંગે રંગાયેલા બાળકો અને શિક્ષકોએ કેશ દાન કર્યું. રામેશ્વરમાં રામસેતુ, રામ ઝરુખો , વિભીષણ મંદિર , ધનુષ કોટી દરિયા કિનારો તેમજ વિશેષમાં જ્યોર્તિલિંગ દર્શન  પહેલાં ૨૨ કુંડોમાં સ્નાન કરવામાં આવ્યું જે ખુબજ પવન અને મનને શાંતિ પમાડનાર હતાં. આગલા દિવસે કન્યાકુમારીમાં વહેલી સવારે સૂર્યોદય દર્શન તેમજ કન્યાકુમારી દેવીના અને તેનું ધાર્મિક માહાત્મીય જાણ્યું. સમુદ્રમાંથી બોટ દ્વારા સવાર થઇ સ્વામી વિવેકાનંદ મઠ જોવા ગયા. ત્યાં તેમને ૧૮૯૨ માં દિન - ૩ માટે ધ્યાન કર્યું હતું. ત્યાં અમે ત્રિવેણી સંગમ એટલે કે અરબી સમુદ્ર-બંગાળનીખાડી અને હિન્દ મહાસાગર   










રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૫



રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૫ 
                             તારીખ - ૨૫/૧/૨૦૧૫ ને રવિવારના રોજ ઉજવવામાં આવતા રાષ્ટ્રીય મતદાતા દિન ની ઉજવણી અમારી શાળામાં ધોરણ - ૬ થી ૮ ના શાળાના બાળકો , બી.એલ.ઓ. અને શાળાના શિક્ષકોએ સાથે મળીને કરી.
                            ધોરણ - ૬ થી ૮ ના બાળકોની ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. મતદાન મથક ભાગ નંબર - ૧૩૩ અને ભાગ નંબર - ૧૩૪ ના નવા મતદારોનું સન્માન કરી ઓળખ કાર્ડની વહેચણી કરવામાં આવી.  ગામના મતદારોને પોતાના મતની અગત્યતા જણાવી. પોતાના કીમતી મતનો ઉપયોગ કરી લોકશાહીને સાચા અર્થમાં સાકાર કરવાની વાત કરવામાં આવી.
                            રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૫ની તસ્વીર .....


"મહાત્મા ગાંધી અને સફાઈ " શાળા કક્ષા ચિત્ર સ્પર્ધા - ૩૦ મી જાન્યુઆરી - ૨૦૧૫

                 

   
                                                             ૩૦ મી જાન્યુઆરી - ૨૦૧૫ 
                                     "મહાત્મા ગાંધી અને સફાઈ "  શાળા કક્ષા ચિત્ર સ્પર્ધા

                            ૩૦ મી જાન્યુઆરી - ૨૦૧૫ ના રોજ શાળામાં " મહાત્મા ગાંધી અને શાળા સફાઈ " અંતર્ગત ધોરણ - ૧ થી ૮ માં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. શાળામાં પધારેલ એસ.એમ.સી. સભ્ય અને વિદ્વાન આગેવાનની હાજરીમાં સવારે ૧૧:૦૦ કલાકે મહાત્મા ગાંધીજીને શ્રધાંજલિ આપવા બે મીનીટનું મોન રાખવામાં આવ્યું. બાદમાં સ્વચ્છતાના બાબતે શાળાના આચાર્યશ્રી દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. બાદમાં સરકારશ્રીના આયોજન મુજબ દરેક ધોરણના બાળકોએ સ્વચ્છતા અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો. બાળકોએ પોતાની ચિત્ર કલાનો પરિચય બતાવ્યો.
                         આજના પ્રસંગની તસ્વીર............


બે મિનીટ મોન 

ગામ આગેવાનો 

વિદ્યાર્થીએ દોરેલ ચિત્ર 


            

                                      

Tuesday, 6 January 2015

વિભાગીય કક્ષાનો રમતોત્સવ -૨૦૧૪-૧૫

                             વિભાગીય કક્ષાએ અમારી શાળાએ તા. ૦૨/૦૧/૨૦૧૫ ને શુક્રવારે દેવસર-૨ શાળામાં ૪ જેટલી રમતમાં ભાગ લીધો. હતો.જેમાં અમારી શાળા  ગોળાફેંક - કન્યા તેમજ શિક્ષક લાંબી-કૂદ માં વિજેતા રહી. ૧૦૦ મી.દોડ કુમારમાં બીજા ક્રમે રહ્યા.જે બદલ શાળા પટાંગણમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને  શાળા  પરિવાર વતી વધાવી લેવામાં આવ્યા.
                                 વિભાગીય ક્ક્ષામાં વિજેતા થનાર બાળકો હવે અમારી શાળાનું પ્રતિનિધિત્વ તાલુકા કક્ષાએ ભાગ લઇ કરશે. વિજેતા બાળકોને શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે અભિનંદન આપી આગળ પ્રગતિ માટે શુભેચ્છા આપી. તૈયાર કરનાર શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો.
               આજની  વિભાગીય ક્ક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર બાળકો હવે અમારી શાળાનું પ્રતિનિધિત્વ તાલુકા  કક્ષાએ ભાગ લઇ કરશે.
                              આજ રોજની સ્પર્ધામાં ભાગ લેતા  બાળકોની તસ્વીર .....

સી.આર.સી. કક્ષાનો રમતોત્સવ -૨૦૧૪-૧૫

                     અમારી શાળાએ તા.૩૦/૧૨/૨૦૧૪ ને  મંગળવારે રમતોત્સવની પૂર્વ તૈયારી સાથે કેન્દ્ર કક્ષાના રમતોત્સવમાં કુલ નવ રમતમાં ભાગ લીધો હતો. સ્પર્ધાનું સ્થળ હતું માસ્કરા શાળાનું પટાંગણ. તેમજ નાનબાઈ માતાજીનો ચોક જ્યાં રમતોત્સવની શરૂઆત રમતનું મહત્વ  તેમજ શુભેચ્છા પાઠવતા યજમાન શાળાના આચાર્યશ્રી ભગવાનભાઈ આર. ટંડેલે કરી. અમારી શાળાએ લાંબી કૂદ ,  ૧૦૦ મી. દોડ, ગોળા ફેંક , યોગ, તેમજ ભાઈઓની  કબડ્ડી માં ભાગ લીધો હતો. જેમાં  ૧૦૦ મી. દોડ કુમાર,   લાંબી કૂદ -કુમાર,ગોળાફેંક-કન્યા, કબડ્ડી-કુમાર તેમજ  લાંબીકૂદ-શિક્ષક ભાઈઓમાં અમારી શાળાએ પ્રથમ નંબર મેળવ્યો. શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે વિજેતા થનાર બાળકોને અભિનંદન પાઠવ્યા. અને આગળ પ્રગતિ માટે શુભેચ્છાઓ આપી. શાળાએ જીતનાર તેમજ ભાગ લેનાર તમામ બાળકો તેમજ તૈયાર કરનાર શિક્ષકોનો  આભાર માન્યો   અને  વધાવી લીધા.
                            આજની સી.આર.સી. કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર બાળકો હવે અમારી શાળાનું પ્રતિનિધિત્વ વિભાગીય  કક્ષાએ ભાગ લઇ કરશે.
                              આજ રોજની સ્પર્ધામાં ભાગ લેતા  બાળકોની તસ્વીર .....



Sunday, 21 December 2014

વિદ્યા સૃષ્ટી સામયિક અંક

                          


                                   અમારી   શાળામાં તારીખ- ૨૦-૧૨-૨૦૧૪ ને શનિવારના રોજ બીલીમોરાના વતની અને પ્રાથમિક શાળાના બાળકોમાં વાંચન બાબતે પ્રેરાય એવા સતત પ્રયત્નો કરતા શિક્ષણ પ્રેમી શ્રી મોહનભાઈ મહેમાન બન્યા. 
                                    શ્રી મોહનભાઈને શાળાની  સમૂહ પ્રાર્થના દરમ્યાન આચાર્યશ્રીએ  એમના બાળકો માટે કરવામાં આવતા વિશિષ્ટ કાર્યને બિરદાવી આવકાર આપ્યો.  એઓશ્રી આજરોજ અમારી શાળામાં થતી એક વિશિષ્ટ પ્રવૃતિથી પ્રેરાઈ શાળામાં આવ્યા હતા. અમારી શાળામાં છેલ્લા પાંચ વર્ષથી શાળાના બાળકો "બાલ સૃષ્ટી " સામયિક ના નિયમિત ગ્રાહકો છે. તથા આ વર્ષે ધોરણ ૨ થી ૮ ના કુલ ૨૨૦ જેટલા બાળકો "બાલ સૃષ્ટી " સામયિક ના ગ્રાહકો છે. શાળાની આવી  વિશિષ્ટ બાબતને બિરદાવવા એઓ અમારી શાળામાં પધાર્યા. એ સાથે આજરોજ એક અન્ય  સામયિક " વિદ્યા સૃષ્ટી "  ના નવા થનારા બાળ ગ્રાહકોને બિરદાવવાનો પ્રસંગ પણ રાખવામાં આવેલ હતો. શાળાના નવા ૭૮ બાળકો " વિદ્યા સૃષ્ટી " સામયિકના નવા ગ્રાહકો બન્યા હતા તેમાંથી ધોરણવાર એક બાળકને આ સામયિકનો અંક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. એમણે શાળાની વાંચન અંગેની આ પ્રવૃતિને બિરદાવી બાળકો અને શિક્ષકોને અભિનંદન આપ્યા. 
                                   આ સાથે એમણે બાળકોને વાંચનનું મહત્વ અને સફાઈનું મહત્વ, બાબતે સરસ નાના નાના દ્રષ્ટાંતો આપી બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા. શાળામાં થતી સફાઈ પ્રવૃત્તિ અને શાળાના  પ્રાર્થના સંમેલનને બાબતે અભિનંદન આપ્યા. સાથે બાળકો દ્વારા મંગાવવામાં આવતા સામયિકોને બાળકોના ઘરના સભ્યો લાભ લે તે બાબતે બાળકોને ટકોર કરી સમજ આપી. શ્રી મોહનભાઈએ બાળકો અને શિક્ષકોને પુસ્તકો ભેટ આપી પ્રોત્સાહિત કરી બિરદાવ્યા. 
                               અંતે શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે અત્રે પધારેલ મોહનભાઈ ના શિક્ષણ ઉપયોગી ઉમદા કાર્યની સરાહના કરી એમના દીર્ઘાયુષ્ય માટે શુભેચ્છાઓ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
                         આજરોજ શિયાળાનો શનિવાર હોય શાળામાં ડીસેમ્બરના પ્રથમ શનિવારથી જાન્યુઆરીના છેલ્લા શનિવાર સુધી  થતા કાર્યક્રમ મુજબ "સમૂહ કવાયત" કરવામાં આવે છે. જે કાર્યક્રમ મુજબ બાળકોએ કવાયતમાં ભાગ લીધો.