અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 22 October 2014

NMMS - પરિક્ષા - ૨૦૧૪



પરિક્ષા તારીખ- ૨/૧૧/૨૦૧૪ ને રવિવારના દિવસે.

હોલ ટીકીટ પ્રિન્ટ કરવા અહી ક્લિક કરો.

NMMS ના જે ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ફિ ભરેલ હોવા છતાં હોલ ટીકીટ ડાઉનલોડ થતી ન હોય, તેવા ઉમેદવારોએ તા. ૨૬.૧૦.૨૦૧૪ સુધીમાં પરીક્ષા ફિ ભર્યાની પોસ્ટ ચલણની નકલ સ્કેન કરી sebexam2014@gmail.com પર ઈ-મેલ કરવી તથા તેવા ઉમેદવાર તેઓંની હોલ ટીકીટ તા. ૨૭.૧૦.૨૦૧૪ પછી ડાઉનલોડ કરી શકશે. 

Happy Diwali - 2014

HAPPY DIWALI



        પ્રાથમિક વિદ્યામંદિર , પોંસરી  અને શાળા પરિવાર તરફથી અમારા બ્લોગની મુલાકાત લેનારા સૌને દિવાળી અને નુતન વર્ષની શુભકામનાઓ.



Thursday 16 October 2014

મતદાર નોંધણી કાર્યક્રમ - ૨૦૧૪-૧૫



મતદાર નોંધણી કાર્યક્રમ - ૨૦૧૪-૧૫

                            તારીખ- ૧ /૧ /૨૦૧૫ ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પુરા થતા હોય તેવા યુવા મતદારો માટે અમુલ્ય તક મતદાર નોંધણી ની ખાસ ઝુંબેશ ઓક્ટોબર ની ૧૫ તારીખ થી ૧૦ મી  - નવેમ્બર સુધી પુરા માસ દરમ્યાન ચાલુ રહેશે. 

     ખાસ ઝુંબેશની    તારીખ - ૧૯/૧૦/૨૦૧૪ ને રવિવારના દિને         
                              તારીખ- ૨ /૧૧/૨૦૧૪ ને રવિવારના દિને            સમય સવારે - ૯:૦૦ થી સાંજે  ૬:૦૦ 

SMC બેઠક




                               ડાયસ ફોર્મ ( DISE ) માહિતી અંતર્ગત અમારી શાળામાં તારીખ - ૧૩-૧૦-૨૦૧૪ ના રોજ SMC બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આજની બેઠકમાં શાળા શૈક્ષણિક માહિતી પત્રક ( ડાયસ ) ફોર્મનું વાંચન એસ.એમ.સી.ના સભ્યોની હાજરીમાં અમારા કેન્દ્રના સી આર સી કોડિનેટર રાજેશ્રીબેન અને શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે આપી. શાળા માહિતી પત્રકની સંપૂર્ણ માહિતીનું વાંચન કરી એસ.એમ.સી. ના સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા. શાળાની ભૌતિક બાબતો અને શૈક્ષણિક બાબતોની માહિતી આપવામાં આવી.
                              આજની બેઠકમાં તમામ એસ.એમ.સી.ના સભ્યોએ હાજરી આપી.

                             પ્રસંગની તસ્વીર............






Gunotsav - ગુણોત્સવ - ૨૦૧૪

Gunotsav - ગુણોત્સવ - ૨૦૧૪

      રાજ્ય સરકાર દ્વારા  ગુણોત્સવ- ૨૦૧૪ ના આયોજનની તારીખ પ્રસિદ્ધ કરવામાં આવી.

ગુણોત્સવ - ૨૦૧૪ નો પરિપત્ર

Thursday 2 October 2014

" સ્વચ્છ ભારત અભિયાન "

                        " સ્વચ્છતા ત્યાં પ્રભુતા "   - મહાત્મા ગાંધીજી

સ્વચ્છતા પ્રતિ એક પગલું 
શુભારંભ 
" સ્વચ્છ ભારત મિશન "
( ૨૦૧૪-૨૦૧૯ )
૨ જી ઓક્ટોબર- ૨૦૧૪ 


               " સ્વચ્છ  ગુજરાત "ના નિર્માણ અને " સ્વચ્છ ભારત " ના નિર્માણની શરૂઆત ગાંધીજીના જન્મદિન બીજી ઓક્ટોબર થી પ્રારંભ કરવામાં આવ્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી વર્ષ - ૨૦૧૯ સુધી આપણા ગુજરાતમાં " મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન " અંતર્ગત પાંચ વર્ષ સુધી આ મિશનનો અસરકારક અમલ કરાવી સ્વચ્છ ભારતનું નિર્માણ કરવામાં આવે એવી નેમ વ્યક્ત કરવામાં આવી છે. આપણે સૌ આ મિશનને સફળ બનાવવા પોતાનું યોગદાન આપીએ.
                   " સ્વચ્છ  ગુજરાત "ના નિર્માણ અને " સ્વચ્છ ભારત " નું નિર્માણ કરવા અમારી શાળામાં આ અભિયાનની શરૂઆત આજરોજ ૨ જી ઓક્ટોબરથી કરવામાં આવી. પ્રથમ શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે શાળાના બાળકોને મહાત્મા ગાંધીજીનો જીવન પરિચય કરાવ્યો. બાળકોને ગાંધીજીના સ્વપ્નનું સ્વચ્છ ભારત બનાવવા હરહંમેશ પોતાનું ઘર- ઘરઆગણું - શેરી - ગામ ને સ્વચ્છ રાખવા સમજ આપી. શાળાના બાળકોએ પૂજ્ય બાપુને હેપી બર્થડે કરી મિશનની શરૂઆત કરી.
                       આજે શાળામાં પ્રથમ ધોરણ- ૪ થી ૮ ના તમામ બાળકો, શાળાના શિક્ષકો , આરોગ્ય કર્મચારીઓ , આંગણવાડી કાર્યકરો , એસ.એમ.સી.ના સભ્યો વગેરે સાથે મળી સ્વચ્છતા રેલી કરવામાં આવી. સ્વચ્છતા જાળવવા સંબંધી સુત્રોચ્ચાર કરી રેલી ગામની શેરીઓમાં ફરી ગામના લોકોને સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. 
                               સ્વચ્છતા રેલી બાદ શાળાના બાળકો અને શિક્ષકોએ સાથે મળી શાળા વર્ગખંડ , શાળા મેદાન , અને શાળાની આજુબાજુની જગ્યાઓની સફાઈ કરી. સૌ એ સાથે મળી આજના મિશનને સફળ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. ગામની બહેનોએ પણ અભિયાનમાં જોડાઈ પોતાનો મહત્વનો ફાળો આપી ગામની શેરીની સફાઈ કરી પોતાનું યોગદાન આપ્યું. શાળા પરિવાર વતી અભિયાનમાં જોડાયેલ બહેનોને અભિનંદન. 
                           આજની સ્વચ્છતા મિશનનો મેસેજ ઘરે ઘરે પહોચે અને એનો અમલ કરવામાં આવે. જેથી ટુકા દિવસોમાં આપણે આપણું ગામ- તાલુકો-જીલ્લો-રાજ્ય અને દેશ સ્વચ્છ બનાવીએ. અને સાચા અર્થમાં બાપુના જન્મ દિનની ઉજવણી કરી ગણાશે.



સ્વચ્છતા જાળવવા આટલું હંમેશા યાદ રાખીએ 


  • આપણે  શાળા - ઘર - આગણું - શેરી સ્વચ્છ રાખીએ.
  • કચરો કચરા પેટીમાં જ નાખીએ.
  • રસ્તા પર ગમે ત્યાં કચરો ન નાંખીએ.
  • રસ્તા પર ગમે ત્યાં ન થુંકીએ.
  • પ્લાસ્ટિક થેલીઓનો ઉપયોગ ન કરીએ.

રેલીમાં જોડાયેલ બાળકો 
શેરીમાં ફરતી રેલી 
સફાઈ કામગીરી 
સફાઈ કામગીરી 
શેરી સફાઈ 
શેરી સફાઈ 
ગામ લોકો

Wednesday 1 October 2014

નવરાત્રી પર્વની ઉજવણી - ૨૦૧૪

 

                    નવારાત્રી - નવા એટલે નવ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ 

નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા

કરવામાં આવે છે.


                માં અંબા ના પાવન પર્વ નવરાત્રીની ઉજવણી આજે શાળામાં કરવામાં આવી. આજરોજ તારીખ- ૧/૧૦/૨૦૧૪  ના દિને શાળાના ચોગાનમાં નવરાત્રી પર્વની ઉજવણી  પ્રસંગે શાળાના ધોરણ - ૧ થી ૮ ના તમામ બાળકોએ સરસ ગરબાની રમઝટ જમાવી .


                                          નવરાત્રી પર્વ ઉજવણીની તસ્વીર......







" સ્વચ્છ ભારત અભિયાન "

                     

                               માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના  સ્વપ્નનું "સ્વચ્છ ભારત"બનાવવા એમના માર્ગદર્શન મુજબ મહાત્મા ગાંધીજીના જન્મદિન ૨ જી ઓક્ટોબરથી મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.
                               આ કાર્યક્રમ મુજબ આજરોજ અમારી શાળામાં શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ બાળકોના સહયોગથી આ મિશનની શરુઆત કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે બાળકોને મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન કાર્યક્રમની રૂપરેખા આપી.  સ્વચ્છતા જાળવવા માટે આપણે શું શું કરી શકયે તે બાબતની સમજ આપી.  સ્વચ્છતાની શરૂઆત પ્રથમ આપણા ઘર- આંગણાથી કરવા બાળકોને જણાવ્યું. બાળકોને પોતાની સ્વચ્છતાના અને પછી પોતાના ઘર-આંગણાની સ્વચ્છતા રાખવાથી ગામની  સ્વચ્છતા થશે. દરેક વ્યક્તિ પોતાની  સ્વચ્છતાની જવાબદારી નિભાવે તો આપણે આપણા દેશને  સ્વચ્છ બનાવી શકયે.
                      બાળકોને મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છતા અગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને બાળકોને હરહમેશ સ્વચ્છતા જાળવવા સમજ આપી.
                         આજના પ્રસંગની તસ્વીર............