અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 27 August 2014

ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૪

                  વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૪
                        જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત , જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી સંચાલિત સી.આર.સી. કક્ષાનું  ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શન  તારીખ - ૨૭/૮/૨૦૧૪ના રોજ યોજવામાં આવ્યું. અમારા બીગરી કેન્દ્ર દ્વારા આયોજિત આજનું સી.આર.સી. કક્ષાનું  વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન ખાપરવાડા પ્રાથમિક શાળામાં હતું.
                       ગણિત  - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શનમાં અમારી શાળાએ ત્રણ વિભાગોમાં ભાગ લીધો. જેમાં વિભાગ - ૧  સામાજિક સ્વાસ્થ્ય અને પર્યાવરણ  માં  ' વાઇરસ Vs માણસ  ત્રીજું વિશ્વયુદ્ધ '  કારણો , અસરો અને નિવારવાના ઉપાયો,  -   વિભાગ - ૨ -  વિજ્ઞાન અને ગણિતમાં સીમા ચિન્હો  ' ભૌમિતિક આકારોની સમજ અને પ્રયોગાત્મક રીતે સૂત્ર તારવણી '   તથા વિભાગ - ૫  - બિનઉપયોગી વસ્તુઓનું વ્યવસ્થાપન  ' CREATION FROM THE WASTE WOOD '
                             અમારી શાળાએ ભાગ લીધેલ ત્રણ વિભાગો માંથી વિભાગ- ૨ ની કૃતિ ' ભૌમિતિક આકારોની સમજ અને પ્રયોગાત્મક રીતે સૂત્ર તારવણી '  અને વિભાગ- ૫ ની કૃતિ ' CREATION FROM THE WASTE WOOD ' ને શ્રેષ્ઠ કૃતિ જાહેર કરવામાં આવી. હવે આ બંને કૃતિઓ તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે. આજના પ્રદર્શનમાં કૃતિમાં ભાગ લેનારા બાળકોએ કૃતિ નિહાળનારાઓ અને નિર્ણાયકોને કૃતિની સચોટ સમજુતી આપી પ્રભાવિત કર્યા.
                               આજના પ્રદર્શનને નવસારી વિભાગના સંસદ સભ્ય શ્રી સી.આર.પાટીલ સાહેબે, ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ પટેલે, ગામના પ્રથમ નાગરિક સરપંચ બેન શ્રી, બીગરી કેન્દ્નના સી.આર.સી. શ્રી રાજેશ્રીબેને , કેન્દ્ર શિક્ષકશ્રી જયેશભાઈ પટેલે તથા આમંત્રિત મહેમાનોએ અમારી શાળાની કૃતિઓ નિહાળી પ્રભાવિત થયા અને કૃતિને બિરદાવી. કૃતિમાં ભાગ લેનારા બાળકો અને માર્ગદર્શન આપનાર શિક્ષકોને અભિનંદન આપ્યા.
                      અમારી શાળાની ત્રણે  કૃતિઓને શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે માર્ગદર્શન પૂરું પડ્યું હતું . સાથે કૃતિ વિજેતા થવા બદલ સૌને અભિનંદન આપ્યા.
                           હવે વિજેતા થયેલ બે કૃતિઓ તાલુકા કક્ષાના  ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે.
         







Saturday 23 August 2014

NMMS શિષ્યવૃત્તિ પરીક્ષા - ૨૦૧૪

NMMS શિષ્યવૃત્તિ પરીક્ષા - ૨૦૧૪

             શાળાના ધોરણ - ૫ અને ધોરણ - ૮ ના  બાળકો માટેની  NMMS શિષ્યવૃત્તિ પરીક્ષા - ૨૦૧૪ અંતર્ગત આ સ્કોલરશીપ પરિક્ષા - ૨૦૧૪ નું જાહેરનામું બહાર પડેલ છે. જેની માહિતી નીચે છે. 

Friday 22 August 2014

પ્રજ્ઞા વાલી મીટીંગ - ૨૦૧૪-૧૫ ..ધો.-૩-૪-૫


                              અમારી શાળામાં ધોરણ - ૧ અને ૨ માં જુન-૨૦૧૦ થી  અને  ધોરણ  ૩ અને ૪ જુન-૨૦૧૧ થી  પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ મુજબ શિક્ષણકાર્ય ચાલતું હતું . તથા ચાલુ શૈક્ષણિક વર્ષથી ફેઝ-૫ અંતર્ગત  ધોરણ - ૫ માં પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ મુજબ શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ દ્વારા આપવામાં  આવતા શિક્ષણકાર્યની સમજ બાળકોના વાલીઓને મળે અને પોતાનું બાળક આ નવીન અભિગમ મુજબના અભ્યાસક્રમ મુજબ કેટલું સમજી અને શીખી શકે છે. એની સમજ આપવા શાળાના પ્રજ્ઞા વર્ગખંડમાં ધોરણ - ૩ અને ૪  અને ધોરણ - ૫  ના બાળકોની વાલી મીટીંગ તારીખ - ૨૧/૮/૨૦૧૪ ના રોજ રાખવામાં આવી.                              
                       આજની વાલી મીટીંગમાં શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે શાળામાં પધારેલા વાલીઓને આવકારી મીટીંગની રૂપરેખા આપી. આચાર્યશ્રીએ પધારેલા વાલીઓને પ્રજ્ઞા અભિગમ દ્વારા બાળકોને શીખવા - શીખવવાની વિશિષ્ઠ પદ્ધતિની સમજ આપી. બાળકો આ નવીન અભિગમ મુજબ પોતાનું શિક્ષણ કેવી રીતે મેળવે છે તે બાબતે માહિતી આપી. પ્રજ્ઞા શિક્ષક શ્રીમતી સુંદરબેન ટી.પટેલ અને શ્રીમતી જશુબેન ડી.પટેલે બાળકોને આપવામાં આવતા શિક્ષણના વિવિધ મુદ્દા જેવા કે પ્રજ્ઞા શિક્ષણમાં કરવાની વિવિધ પ્રવૃતિઓ , પ્રજ્ઞા શિક્ષણનો ખ્યાલ , પ્રજ્ઞા અભિગમમાં બાળકો માટે નક્કી કરેલ માઈલ સ્ટોન , બાળકોને આપવામાં આવતી સ્વાધ્યાયપોથી , પ્રજ્ઞા છાબડી , પ્રજ્ઞા ઘોડી વગેરે ની સમજ પધારેલા વાલીઓને આપવામાં આવી. પ્રજ્ઞા અભિગમ શું છે ? અને પ્રજ્ઞા અભિગમ દ્વારા પોતાનું બાળક કેવી રીતે શીખે છે એની સમજ આપી. વાલીઓ સમક્ષ બાળકોએ કરેલ પ્રવૃતિનું નિદર્શન તથા બાળકોની પ્રોફાઈલ નું નિદર્શન કરવામાં આવ્યું. વાલીઓમાં પ્રજ્ઞા બાબતે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

                          ધોરણ- ૫ ના પ્રજ્ઞા શિક્ષક શ્રીમતી અરુણાબેન પટેલે પણ પોતાના વર્ગના બાળકોના વાલીઓને પ્રજ્ઞા અભિગમ દ્વારા આપવામાં આવતા શિક્ષણકાર્યની સમજ આપી. 

                                    આજની વાલી મીટીંગનો હેતુ સફળ રહ્યો.

                                     આજની મીટીંગની તસ્વીર ............






Friday 15 August 2014

સ્વતંત્રતા દિનની (૧૫ મી ઓગસ્ટ ) ઉજવણી - ૨૦૧૪

                       


                       આજે ૧૫ મી ઓગસ્ટ . આજે આપણો દેશ સ્વતંત્રતા દિન ઉજવી રહ્યો છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવાનો દરેકને અનેરો ઉત્સાહ રહે છે. અમારી શાળામાં પણ એની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. આજેના દિવસે આપણો દેશ અંગ્રેજોની બે સદીની ગુલામીમાંથી મુક્ત થયો હતો. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરનારા આપણા વીર સપુતોને શ્રધાંજલી આપવાનો અને એમણે દર્શાવેલ માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરવાનો આજનો દિવસ.
                          આજે અમારી શાળામાં ૬૮ માં સ્વતંત્રતાદિનની ઉજવણી ખુબજ ઉત્સાહપૂર્વક કરવામાં આવી. ધ્વજવંદન કાર્યક્રમ આમંત્રિત મહેમાનોની હાજરીમાં શાળાના શિક્ષકો , શાળાના બાળકો અને ગ્રામજનોએ સાથે મળી ઉજવણી કરી. આજે અમારા કેન્દ્રના સી.આર.સી.કોઓડીનેટર બેન શ્રી રાજેશ્રીબેન ટંડેલના વરદ હસ્તે ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના બાળકોએ દેશભક્તિના નારાઓથી વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધું. ધ્વજવંદનવિધિની સંચાલન શાળાના ઉપ શિક્ષક શ્રી પ્રકાશકુમાર પટેલે કર્યું. સૌએ ધ્વજ ને સલામી આપી.
                               આજના નાના સરખા કાર્યક્રમમાં શાળાના બાળકોએ બાળવાર્તા . વક્તવ્ય , દેશભક્તિ ગીત વગેરે રજુ કરી આમંત્રિતોને મંત્રમુગ્ધ કર્યા.શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે આજના પ્રસંગનું ઐતિહાસિક મહત્વ બતાવ્યું. સાથે સાથે શાળાની પ્રગતિનો ચિતાર રજુ કર્યો. સમાંરભના પ્રમુખ શ્રી સી.આર.સી.કોઓડીનેટર બેન રાજેશ્રીબેન ટંડેલે સાચા અર્થમાં આજના પર્વની ઉજવણી કેવી રીતે કરવાથી પર્વનું મહત્વ સાર્થક થાય એ સમજાવ્યું. સૌને આજના પર્વની શુભેચ્છાઓ પાઠવી. શાળા અને ગામની વધુ પ્રગતિની શુભેચ્છાઓ આપી. એમના તરફથી એમના પિતાશ્રીના પુણ્યાર્થે ધોરણ- ૩ ,૪ અને ૫ ના પ્રજ્ઞા વર્ગના બાળકો માટે પોટ્ફોલીઓ બેગ શાળાને ભેટ આપ્યા. દાતાશ્રીને શાળા પરિવાર વતી આભાર.
                               વિશેષ શાળાના ઉ.શિક્ષક શ્રી શૈલેશકુમાર પટેલે બાળકોના સહયોગથી પોતાના કર્ણપ્રિય સ્વરમાં સામુહિક દેશભક્તિ ગીત ગવડાવી વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધું. ખરા અર્થમાં આજનો પ્રસંગ શાળા માટે ખુબજ દેશભક્તિમય રહ્યો. સૌ દેશની આઝાદીની મીઠી સુગંધ લઇ છુટા પડ્યા.

                            આજનો દિવસ એક અન્ય કાર્યક્રમ માટે પણ અગત્યનો દિવસ હતો. ૧૫ મી ઓગસ્ટ - ૨૦૧૨ ના પાવન દિવસે શાળાના બ્લોગની શરૂઆત કરવામાં આવી હતી. એ મુજબ આજે અમારી શાળાના બ્લોગ ponsrischool blogspot.con ની બર્થડે છે. અમારા બ્લોગને વાંચનાર સૌ ને અમારા  શાળા પરિવાર દ્વારા અભિનંદન .....
             
                             આજના પ્રસગની ઉજવણીની તસ્વીરો..........













Thursday 14 August 2014

પ્રજ્ઞા વાલી મીટીંગ - ધોરણ - ૧ / ૨ ...૨૦૧૪-૧૫

                     અમારી શાળામાં ધોરણ - ૧ અને ૨ માં જુન-૨૦૧૦ થી  અને  ધોરણ  ૩ અને ૪ જુન-૨૦૧૧ થી  પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ મુજબ શિક્ષણકાર્ય ચાલતું હતું . તથા ચાલુ શૈક્ષણિક વર્ષથી ફેઝ-૫ અંતર્ગત  ધોરણ - ૫ માં પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ મુજબ શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ દ્વારા આપવામાં  આવતા શિક્ષણકાર્યની સમજ બાળકોના વાલીઓને મળે અને પોતાનું બાળક આ નવીન અભિગમ મુજબના અભ્યાસક્રમ મુજબ કેટલું સમજી અને શીખી શકે છે. એની સમજ આપવા શાળાના પ્રજ્ઞા વર્ગખંડમાં ધોરણ - ૧ અને ૨ ના બાળકોની વાલી મીટીંગ તારીખ - ૧૩/૮/૨૦૧૪ ના રોજ રાખવામાં આવી.
                 આજની વાલી મીટીંગમાં શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે વાલીઓને આવકારી મીટીંગની રૂપરેખા આપી. આચાર્યશ્રીએ પધારેલા વાલીઓને પ્રજ્ઞા અભિગમ દ્વારા બાળકોને શીખવા - શીખવવાની વિશિષ્ઠ પદ્ધતિની સમજ આપી. બાળકો આ નવીન અભિગમ મુજબ પોતાનું શિક્ષણ કેવી રીતે મેળવે છે તે બાબતે માહિતી આપી. પ્રજ્ઞા શિક્ષક શ્રીમતી કલ્પનાબેન પટેલ અને શ્રીમતી લીલાબેન પટેલે બાળકોને આપવામાં આવતા શિક્ષણના વિવિધ મુદ્દા જેવા કે પ્રજ્ઞા શિક્ષણમાં કરવાની વિવિધ પ્રવૃતિઓ , પ્રજ્ઞા શિક્ષણનો ખ્યાલ , પ્રજ્ઞા અભિગમમાં બાળકો માટે નક્કી કરેલ માઈલ સ્ટોન , બાળકોને આપવામાં આવતી સ્વાધ્યાયપોથી , પ્રજ્ઞા છાબડી , પ્રજ્ઞા ઘોડી વગેરે ની સમજ પધારેલા વાલીઓને આપવામાં આવી. પ્રજ્ઞા અભિગમ શું છે ? અને પ્રજ્ઞા અભિગમ દ્વારા પોતાનું બાળક કેવી રીતે શીખે છે એની સમજ આપી. વાલીઓ સમક્ષ બાળકોએ કરેલ પ્રવૃતિનું નિદર્શન તથા બાળકોની પ્રોફાઈલ નું નિદર્શન કરવામાં આવ્યું. વાલીઓમાં પ્રજ્ઞા બાબતે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
                                    આજની વાલી મીટીંગનો હેતુ સફળ રહ્યો.
                                     આજની મીટીંગની તસ્વીર ............








Saturday 9 August 2014

રક્ષાબંધન પર્વ ઉજવણી


સૌને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ 
              આજરોજ તારીખ - ૯/૮/૨૦૧૪ ને શનિવારના દિને શાળામાં પ્રાસંગિક અને ધાર્મિક પર્વ ઉજવણી અંતર્ગત રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. આજે સૌ પ્રથમ સવારે શાળાની સમૂહ પ્રાર્થના દરમ્યાન  શાળાના ઉપ શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે પોતાની ગુરુવાણીમાં બાળકોને સુંદર બાળ વાર્તા દ્વારા માનવતાનો ગુણ વિકસાવી એક માનવ બનવાની પ્રેરણા આપી. બાદમાં બાળકોને રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું. અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.  જેવા પત્રો નું ઉદાહરણ આપી  આ પર્વનું મહત્વ સમજાવ્યું.  સૌને આ પર્વની શુભેચ્છા પાઠવી.       

                    બાદમાં શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે પોતાની આગવી ભાષામાં રક્ષાબંધનમાં પર્વની ઉજવણીની નાનામાં નાની બાબતો સમજાવી. બાળકોને રાખડીનું મહત્વ જુદા-જુદા ધાર્મિક ઉદાહરણો દ્વારા બતાવ્યું. એમણે પણ આજના પર્વનું ધાર્મિક અને સામાજિક મહત્વ બાળકોને બતાવ્યું. સાથે - સાથે શાળાના શિક્ષકો અને બાળકોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી.          

                          ત્યાર બાદ ધોરણ - ૧ થી ૮ ના બાળકોએ આજના પર્વની ઉજવણી કરી. જેમાં શાળાના વિદ્યાર્થીઓને શાળાની બાલિકાઓએ રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું. એ સાથે બાલિકાઓએ શાળાના શિક્ષકો અને શિક્ષિકા બહેનોને રાખડી બાંધી પ્રસંગની ઉજવણી કરી. આજનો પ્રસંગે શાળાનું વાતાવરણ ધર્મિક રહ્યું. 

સૌને રક્ષાબંધનની ખુબ -ખુબ શુભેચ્છાઓ.             

આજના પ્રસગ ઉજવણીની તસ્વીરો........




Friday 8 August 2014

મોબાઇલ બેલેન્સ ફ્રીમાં મેળવો

મોબાઇલ બેલેન્સ ફ્રીમાં મેળવો 

Download karo application ane Balance melvo free ma.

Download karva mate : Click Here.

Vadhu Balance melvva mate tamara friends ne link moklo.

Tamara jetla mitro hoy e badha ne send
 karo ane juo kamal. ( Only for Android )

આરોગ્ય વાર્તાલાપ

                             આજરોજ અમારી શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , બીગરી   ( પોંસરી ) ના આરોગ્ય કર્મચારી દ્વારા કુપોષણ / ડાયેરિયા કંટ્રોલ પ્રોગ્રામ અને લેપ્ટોપ્રાયરોસિસ જેવા રોગો અંગે શાળાના ધોરણ ૫ થી ૮ ના બાળકોને માર્ગદર્શન અને વાર્તાલાપ માટે આરોગ્યના કર્મચારી સુપરવાઈઝર શ્રી પ્રકાશભાઈ પટેલ , ફીમેલ સુપરવાઈઝર બેનશ્રી તેમજ ગામના આરોગ્ય કર્મચારી બેનશ્રી શાળામાં પધાર્યા. 
                   શાળાની પ્રાર્થના સભામાં આરોગ્યના કર્મચારીશ્રીઓને શાળાના આચાર્યશ્રી દ્વારા આવકારવામાં આવ્યા. એ પછી શ્રી પ્રકાશભાઈએ બાળકોને બાળકોને પ્રથમ લેપ્ટોપ્રાયરોસીસ રોગ ફેલાવાના  મુખ્ય કારણોની સમાજ આપી. આ રોગ લાગુ પડતા દર્દીમાં જોવા મળતા લક્ષણો સમજાવ્યા . આ રોગને અટકાવવાના ઉપાયોની સમજ આપી. આ રોગ ન લાગુ પડે તે માટે રાખવાની સાવચેતી બાબતે સરસ સમજ આપી. બાદમાં ડાયેરિયા ( ઝાડા-ઉલટી ) જેવા રોગ ચોમાસાની ઋતુ દરમ્યાન વધુ જોવા મળતી હોવાના કારણો સમજાવ્યા.  સાથે સાથે ચિકનગુનિયાના લક્ષણો અને આ રોગ થવાના કારણોની સમજ આપી . મચ્છર દ્વારા ફેલાતો રોગ મેલેરિયાના લક્ષણો અને આ રોગને અટકાવવાના ઉપાયો બતાવવામાં આવ્યા. આમ આજરોજ બાળકોને આરોગ્ય સંબંધી જરૂરી પ્રાથમિક સમજ આપી. જે દરેક રોગો સંબંધી ઉપયોગી વાતો કરી આરોગ્ય બાબતે લેવાની કાળજી રાખવાનું સુચન કરવામાં આવ્યું.
                             આજના પ્રસંગે શાળામાં પધારેલ કર્મચારીઓનો  શાળાના આચાર્યશ્રીએ  આભાર વ્યક્ત કર્યો.
                        આજના આ કાર્યક્રમની તસ્વીર .....




Wednesday 6 August 2014

કલર કિંગ નવતર પ્રવૃત્તિ પ્રથમ સ્પર્ધા

                 

                     કલર કિંગ નવતર પ્રવૃત્તિ અંતર્ગત પ્રથમ સ્પર્ધા તારીખ - ૨/૮/૨૦૧૪ ને શનિવારના રોજ યોજવામાં આવી . જેમાં ધોરણ- ૧ અને ૨ માટે જોડકણા સ્પર્ધા , ધોરણ- ૩ , ૪ અને ૫ માટે વર્ષાગીત સ્પર્ધા અને ધોરણ - ૬ , ૭ અને ૮ માટે વકતૃત્વ સ્પર્ધા ' મને શું થવું ગમે ' રાખવામાં આવ્યો. પ્રથમ રાઉન્ડ ધોરણવાર યોજી તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા સ્પર્ધક નક્કી કરવામાં આવ્યા. આ પ્રવૃત્તિ દરમ્યાન પોતાના ગ્રુપ મુજબ મળેલ વિષયો મુજબ બાળકોએ સ્વપ્રયત્ને તૈયારી કરી પોતાની મૌલિક રજૂઆત કરી ખુબ સારું પર્ફોમન્સ આપ્યું.
                            પ્રથમ રાઉન્ડ બાદ વિજેતા સ્પર્ધકોનો બીજો રાઉન્ડ તારીખ ૪/૮/૨૦૧૪ ને સોમવારના રોજ શાળાની પ્રાર્થના સંમેલનમાં સમુહમાં યોજવામાં આવ્યો. જેમાં પોતાના ગ્રુપ અનુસાર બાળકોએ એમના વિષયના એક થી એક ચડિયાતા પર્ફોમન્સ રજુ કરી સૌને પ્રભાવિત કરી દીધા. આ રાઉન્ડ દ્વારા ત્રણે ગ્રુપના ત્રણ સ્પર્ધક પ્રથમ , દ્વિતીય અને તૃતીય ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધક નક્કી કરવામાં આવ્યા. શાળાના શિક્ષકોએ નિર્ણાયક તરીકે કામગીરી કરી મુલ્યાંકન કરવામાં આવ્યું. આ ફાઈનલ રાઉન્ડ બાદ વિભાગવાર મેળવેલ ગુણ આ પ્રમાણે રહ્યા.
                                  ગ્રીન ગ્રુપ- ૨ ગુણ , રેડ ગ્રુપ- ૧ ગુણ , બ્લુ ગ્રુપ - ૧ ગુણ , બ્લેક ગ્રુપ- ૩ ગુણ , અને ઓરેન્જ ગ્રુપ- ૨ ગુણ  મેળવે છે.  આમ ત્રણ વિભાગના  કુલ - ૯ ગુણ માંથી ૩ ગુણ મેળવી બ્લેક ગ્રુપ પ્રથમ સ્પર્ધામાં  વિજેતા બને છે.













Saturday 2 August 2014

કલર કિંગ ગ્રુપ - નવતર પ્રવૃત્તિ -૨૦૧૪-૧૫


                        શૈક્ષિણક સત્ર ૨૦૧૪-૨૦૧૫ માટે અમારી શાળામાં એક નવતર પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું છે.  શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલના માર્ગદર્શન અને ઉપ શિક્ષકશ્રી શૈલેશકુમાર પટેલના આયોજન દ્વારા શાળા પરિવારના સહયોગથી શાળામાં ભણતા ધોરણ- ૧ થી ૮ ના તમામ બાળકોમાં રહેલ સૃસુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી આ પ્રવૃતિનું આયોજન કરવાનું વિચારી એનો અમલ કરવામાં આવ્યો છે.
                       સૌ પ્રથમ આ કલર કિંગ નવતર પ્રવૃત્તિ માટે  શાળાના ધોરણ- ૧ થી ૮ ના તમામ બાળકો ભાગીદાર બને અને સાથે આ પ્રવૃતિમાં સામેલ રહે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે.તેની  સાથે આ કલર કિંગ નવતર પ્રવૃત્તિ સને -૨૦૧૪ /૧૫ ના બંને સત્ર દરમિયાન ચાલુ રહે તેનું પણ ધ્યાન રાખી આયોજન કરવામાં આવ્યું છે.   તે મુજબ સૌ પ્રથમ ધોરણ - ૧ થી ૮  ને ત્રણ  વિભાગમાં વહેચવામાં આવ્યા. ધોરણ ૧ અને ૨ નો વિભાગ -૧ , ધોરણ ૩-૪-અને ૫ નો વિભાગ-૨ તથા ધોરણ ૬-૭ અને ૮ નો વિભાગ-૩ . આમ આ ત્યાર થયેલ ત્રણ વિભાગ માટે દરેક ધોરણ માં કુમાર/કન્યાની સરખી સંખ્યાના  પાંચ ગ્રુપની રચના કરવામાં આવી. એ મુજબ દરેક ધોરણમાં પાંચ ગ્રુપ બનાવવામાં આવ્યા. આ પાંચ ગ્રુપના દરેક ગ્રુપમાંથી એક બાળકને ગ્રુપ લીડર બનાવવામાં આવ્યા. આ ગ્રુપ લીડર એ એમના ગ્રુપના બાળકોની કામગીરી અને જરૂરી માર્ગદર્શન આપવાનું કામ કરશે.
                           આ રીતે અમારા આ કલર કિંગ નવતર પ્રવૃત્તિના કાર્યક્રમ માટે શાળાના ધોરણ - ૧ થી ૮ ના તમામ બાળકોને સામેલ કરી પાંચ ગ્રુપમાં વહેચવામાં આવ્યા છે. હવે આ દરેક ગ્રુપને તમામ બાળકો ઓળખી શકે એ માટે એને રેડ , બ્લેક , ગ્રીન , બ્લુ ,અને ઓરેન્જ ગ્રુપ નામકરણ કરવામાં આવ્યું. દરેક બાળકો પોતાના ગ્રુપને ઓળખી શકે એ માટે જે ગ્રુપનું નામકરણ કરવામાં આવ્યું એ ગ્રુપના દરેક બાળકોને શાળા તરફથી પોતાના ગ્રુપના નામકરણ મુજબ રિબન આપવામાં આવી. આ રિબન જે દિવસે સ્પર્ધા યોજવામાં આવે એ દિવસે બાળકો પોતાના શર્ટ પર ક્લીપની મદદથી લગાવશે.જેના દ્વારા પોતાના ગ્રુપની ઓળખ ઉભી થશે.
                          અ પ્રમાણે કલર કિંગ નવતર પ્રવૃત્તિ આયોજન મુજબ આખા વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. અને બાળકોમાં રહેલ વિવિધ શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. આખા વર્ષ દરમ્યાન થયેલ પ્રવૃત્તિ અનુસાર જે ગ્રુપ વધારે વાર વિજેતા બનશે એ ગ્રુપ 'કલર કિંગ ગ્રુપ' તરીકે જાહેર કરવામાં આવશે અને આ ગ્રુપને સત્રના અંતે ભવ્ય સન્માન કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું.