માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્નનું "સ્વચ્છ ભારત"બનાવવા એમના માર્ગદર્શન મુજબ મહાત્મા ગાંધીજીના જન્મદિન ૨ જી ઓક્ટોબરથી મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ મુજબ આજરોજ અમારી શાળામાં શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ બાળકોના સહયોગથી આ મિશનની શરુઆત કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે બાળકોને મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન કાર્યક્રમની રૂપરેખા આપી. સ્વચ્છતા જાળવવા માટે આપણે શું શું કરી શકયે તે બાબતની સમજ આપી. સ્વચ્છતાની શરૂઆત પ્રથમ આપણા ઘર- આંગણાથી કરવા બાળકોને જણાવ્યું. બાળકોને પોતાની સ્વચ્છતાના અને પછી પોતાના ઘર-આંગણાની સ્વચ્છતા રાખવાથી ગામની સ્વચ્છતા થશે. દરેક વ્યક્તિ પોતાની સ્વચ્છતાની જવાબદારી નિભાવે તો આપણે આપણા દેશને સ્વચ્છ બનાવી શકયે.
બાળકોને મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છતા અગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને બાળકોને હરહમેશ સ્વચ્છતા જાળવવા સમજ આપી.
આજના પ્રસંગની તસ્વીર............
બાળકોને મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છતા અગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને બાળકોને હરહમેશ સ્વચ્છતા જાળવવા સમજ આપી.
આજના પ્રસંગની તસ્વીર............
No comments:
Post a Comment