અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 9 February 2015

શૈક્ષણિક પ્રવાસ-2015

                  શાળામાંથી દર વર્ષ ની માફક આ વર્ષે પણ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.
                      ચાલુ વર્ષે શાળામાંથી દક્ષિણ ભારત દર્શન પ્રવાસ યોજવામાં આવ્યો.પ્રવાસના સ્થળો પોંસરી થી ઘુશ્મેશ્વર , હૈદરાબાદ , તિરુપતિ બાલાજી , રામેશ્વરમ્ , કન્યાકુમારી અને મદુરાઈ સુધી રાખવામાં આવ્યું. જે તારીખ - ૩૧-૧-૨૦૧૫ થી ૮-૨-૨૦૧૫ સુધી દિન - ૮ માટે થયું.
                 શાળાના આ શૈક્ષિણક પ્રવાસમાં ધોરણ- ૫ થી ૮ ના કુલ ૬૩ બાળકો અને ૧૦ શિક્ષકો જોડાઈ એક બસ દ્વારા દક્ષિણ ભારતનો પ્રવાસ ખેડવામાં આવ્યો. યોજવામાં આવેલ પ્રવાસ દ્વારા શાળાને અને બાળકોને મોટી સફળતા પ્રાપ્ત થઇ. પ્રવાસના સ્થળો આધ્યાત્મીકની સાથે સાથે શૈક્ષણિક પણ હતા. આધ્યાત્મિક દર્શન તેમજ ભારતીય સંસ્કૃતિની વિવિધતા જેમકે ભૂપુષ્ઠ, ભારતીય લોકજીવન , પહેરવેશ , સામાજિક રીતે રીવાજો , પરંપરાઓ , માન્યતાઓ , ધાર્મિક વિધિઓ , વિવિધ પ્રાદેશિક ભાષાઓ અંગેની વિભીન્તાઓનો ખ્યાલ મળ્યો. પ્રવાસ દ્વારા લગભગ અડધા ભારતના દર્શનથી બાળકોને વિભીન્તાઓનો પ્રત્યક્ષ ખ્યાલ મળ્યો. દક્ષિણ ભારતના રાજ્યો મહારાષ્ટ્ર , તેલંગાણા , આંધ્રપ્રદેશ , તમિલનાડુ અને કર્નાટક રાજ્યના મહત્વના ભોગોલીક ભાગો માંથી પસાર થવાનું થયું. જેના દ્વારા બાળકો અને શિક્ષકોને ત્યાનો ભોગોલિક વિસ્તાર અને ખેત-પેદાશનો પ્રત્યક્ષ ખ્યાલ મેળવ્યો. હૈદરાબાદ સ્થિત બિરલા મંદિરના દર્શન કરી મંદિર પરિસરમાંથી ચારે તરફ જોતાં હૈદરાબાદ શહેરનો સંપૂર્ણ નજરો જોવા મળ્યો. મક્કા મસ્જીદ , ચાર મીનાર , એશિયાનું પ્રથમ નંબરનું સલાર જંગ મ્યુઝિયમ નિહાળ્યું. અને સ્નો-વલ્ડમાં બરફ સાથે મોજ કરી. ત્યાર બાદ તિરુપતિ સ્થિત બાલાજી ભગવાનના દર્શન કર્યા. આધ્યાત્મિક રંગે રંગાયેલા બાળકો અને શિક્ષકોએ કેશ દાન કર્યું. રામેશ્વરમાં રામસેતુ, રામ ઝરુખો , વિભીષણ મંદિર , ધનુષ કોટી દરિયા કિનારો તેમજ વિશેષમાં જ્યોર્તિલિંગ દર્શન  પહેલાં ૨૨ કુંડોમાં સ્નાન કરવામાં આવ્યું જે ખુબજ પવન અને મનને શાંતિ પમાડનાર હતાં. આગલા દિવસે કન્યાકુમારીમાં વહેલી સવારે સૂર્યોદય દર્શન તેમજ કન્યાકુમારી દેવીના અને તેનું ધાર્મિક માહાત્મીય જાણ્યું. સમુદ્રમાંથી બોટ દ્વારા સવાર થઇ સ્વામી વિવેકાનંદ મઠ જોવા ગયા. ત્યાં તેમને ૧૮૯૨ માં દિન - ૩ માટે ધ્યાન કર્યું હતું. ત્યાં અમે ત્રિવેણી સંગમ એટલે કે અરબી સમુદ્ર-બંગાળનીખાડી અને હિન્દ મહાસાગર   










No comments:

Post a Comment