અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday 21 March 2014

વ્યશન મુક્તિ કાર્યક્રમ

                 આજરોજ અમારી શાળામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ , હરિદ્વાર  અને યુવા સંગઠન - ગુજરાત  દ્વારા " ગાયત્રી પરિવાર સંસ્થા - બીગરી " એ  શાળાના ધોરણ ૫ થી ૮ ના બાળકોને વ્યશનમુક્તિ અભ્યાન અંતર્ગત સમાજમાં વ્યાપેલ વિવિધ વ્યશનો કરવાથી થતા રોગો અંગેની સરસ તાર્કિક સમજ આ સંસ્થાના વડીલ અને રિટાયર્ડ શિક્ષક શ્રી લલ્લુભાઈ પટેલે આપી.
                        બાળકોને સમાજમાં ફેલાયેલ જુદા જુદા વ્યશનો જેવા કે દારૂ, તાડી, તમાકુ , સિગારેટ , ગુટખા વગેરેનો ઉપયોગ કરવાથી થતા શારીરિક નુકશાન અને માણસોએ વેઠવી પડતી મુશ્કેલીઓની સરસ સમજ આપી. સાથે સ્ત્રી-પુરુષ સમાનતા અંગે બાળકોને જાગૃત કરવામાં આવ્યા. બાળકોને વ્યશન કરવાથી થતા વિવિધ ગંભીર રોગો અને કેન્સરના ચિત્ર - ચાર્ટ બતાવી રોગોની ગંભીરતાસમજાવવામાં આવી. એમણે બાળકોને વ્યશન ન કરવાથી જિંદગીના બાકીના વર્ષોમાં થતા આર્થિક ફાયદાની ગણતરી કરી અને કરાવી સમજ આપી.બાળકો અને શિક્ષકો પાસે જીવનમાં કદી વ્યશન ન કરવા બાબતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.
                            શાળાના ઇન્ચાર્જ  આચાર્ય શ્રી શંકરભાઈ પટેલે શાળામાં વ્યશન મુક્તિ અભિયાન માટે પધારેલ ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો.
                             અમારા આજના પ્રસગની તસ્વીર સહ રજૂઆત............










No comments:

Post a Comment