અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 15 August 2013

સ્વતંત્રતા દિન ઉજવણી

            સ્વતંત્રતા દિનની સર્વે બ્લોગર મિત્રોની પ્રાથમિક વિદ્યામંદિર , પોંસરી તરફથી શુભકામના 

AAMADER SADHINATA
          આપણે ભારત ના  સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી  ઓગષ્ટ ના દિવસને ઉજવીએ છીએ.. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં  ખૂણે - ખૂણે આજનો પર્વ ખુબ ઉત્સાહથી મનાવવામાં આવે છે. આઝાદી મેળવવામાં બલિદાન આપનાર શહીદોને  યાદ કરવામાં આવે છે.  
                 આજરોજ અમારી શાળામાં પણ પરંપરા મુજબ સ્વતંત્રતા દિનની ઉજવણી  રાષ્ટ્રીય પર્વની રીતે ધ્વજવંદનથી કરવામાં આવી. આજના પ્રસંગે પધારેલા આમંત્રિત મહેમાનોની હાજરીમાં ગામના વડીલ શ્રી છીબુભાઈ પટેલે ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાવવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે પ્રસગને અનુરૂપ બે વાતો કહી . સાથે સાથે આજના દિને ચાલુ સત્રમાં યોજવામાં આવેલ સ્પર્ધાઓમાં વિજેતા થનાર બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 

                             આજની ઉજવણીની તસ્વીરો........









No comments:

Post a Comment