અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday 8 August 2014

આરોગ્ય વાર્તાલાપ

                             આજરોજ અમારી શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , બીગરી   ( પોંસરી ) ના આરોગ્ય કર્મચારી દ્વારા કુપોષણ / ડાયેરિયા કંટ્રોલ પ્રોગ્રામ અને લેપ્ટોપ્રાયરોસિસ જેવા રોગો અંગે શાળાના ધોરણ ૫ થી ૮ ના બાળકોને માર્ગદર્શન અને વાર્તાલાપ માટે આરોગ્યના કર્મચારી સુપરવાઈઝર શ્રી પ્રકાશભાઈ પટેલ , ફીમેલ સુપરવાઈઝર બેનશ્રી તેમજ ગામના આરોગ્ય કર્મચારી બેનશ્રી શાળામાં પધાર્યા. 
                   શાળાની પ્રાર્થના સભામાં આરોગ્યના કર્મચારીશ્રીઓને શાળાના આચાર્યશ્રી દ્વારા આવકારવામાં આવ્યા. એ પછી શ્રી પ્રકાશભાઈએ બાળકોને બાળકોને પ્રથમ લેપ્ટોપ્રાયરોસીસ રોગ ફેલાવાના  મુખ્ય કારણોની સમાજ આપી. આ રોગ લાગુ પડતા દર્દીમાં જોવા મળતા લક્ષણો સમજાવ્યા . આ રોગને અટકાવવાના ઉપાયોની સમજ આપી. આ રોગ ન લાગુ પડે તે માટે રાખવાની સાવચેતી બાબતે સરસ સમજ આપી. બાદમાં ડાયેરિયા ( ઝાડા-ઉલટી ) જેવા રોગ ચોમાસાની ઋતુ દરમ્યાન વધુ જોવા મળતી હોવાના કારણો સમજાવ્યા.  સાથે સાથે ચિકનગુનિયાના લક્ષણો અને આ રોગ થવાના કારણોની સમજ આપી . મચ્છર દ્વારા ફેલાતો રોગ મેલેરિયાના લક્ષણો અને આ રોગને અટકાવવાના ઉપાયો બતાવવામાં આવ્યા. આમ આજરોજ બાળકોને આરોગ્ય સંબંધી જરૂરી પ્રાથમિક સમજ આપી. જે દરેક રોગો સંબંધી ઉપયોગી વાતો કરી આરોગ્ય બાબતે લેવાની કાળજી રાખવાનું સુચન કરવામાં આવ્યું.
                             આજના પ્રસંગે શાળામાં પધારેલ કર્મચારીઓનો  શાળાના આચાર્યશ્રીએ  આભાર વ્યક્ત કર્યો.
                        આજના આ કાર્યક્રમની તસ્વીર .....




No comments:

Post a Comment