અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 14 August 2014

પ્રજ્ઞા વાલી મીટીંગ - ધોરણ - ૧ / ૨ ...૨૦૧૪-૧૫

                     અમારી શાળામાં ધોરણ - ૧ અને ૨ માં જુન-૨૦૧૦ થી  અને  ધોરણ  ૩ અને ૪ જુન-૨૦૧૧ થી  પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ મુજબ શિક્ષણકાર્ય ચાલતું હતું . તથા ચાલુ શૈક્ષણિક વર્ષથી ફેઝ-૫ અંતર્ગત  ધોરણ - ૫ માં પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ મુજબ શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ દ્વારા આપવામાં  આવતા શિક્ષણકાર્યની સમજ બાળકોના વાલીઓને મળે અને પોતાનું બાળક આ નવીન અભિગમ મુજબના અભ્યાસક્રમ મુજબ કેટલું સમજી અને શીખી શકે છે. એની સમજ આપવા શાળાના પ્રજ્ઞા વર્ગખંડમાં ધોરણ - ૧ અને ૨ ના બાળકોની વાલી મીટીંગ તારીખ - ૧૩/૮/૨૦૧૪ ના રોજ રાખવામાં આવી.
                 આજની વાલી મીટીંગમાં શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે વાલીઓને આવકારી મીટીંગની રૂપરેખા આપી. આચાર્યશ્રીએ પધારેલા વાલીઓને પ્રજ્ઞા અભિગમ દ્વારા બાળકોને શીખવા - શીખવવાની વિશિષ્ઠ પદ્ધતિની સમજ આપી. બાળકો આ નવીન અભિગમ મુજબ પોતાનું શિક્ષણ કેવી રીતે મેળવે છે તે બાબતે માહિતી આપી. પ્રજ્ઞા શિક્ષક શ્રીમતી કલ્પનાબેન પટેલ અને શ્રીમતી લીલાબેન પટેલે બાળકોને આપવામાં આવતા શિક્ષણના વિવિધ મુદ્દા જેવા કે પ્રજ્ઞા શિક્ષણમાં કરવાની વિવિધ પ્રવૃતિઓ , પ્રજ્ઞા શિક્ષણનો ખ્યાલ , પ્રજ્ઞા અભિગમમાં બાળકો માટે નક્કી કરેલ માઈલ સ્ટોન , બાળકોને આપવામાં આવતી સ્વાધ્યાયપોથી , પ્રજ્ઞા છાબડી , પ્રજ્ઞા ઘોડી વગેરે ની સમજ પધારેલા વાલીઓને આપવામાં આવી. પ્રજ્ઞા અભિગમ શું છે ? અને પ્રજ્ઞા અભિગમ દ્વારા પોતાનું બાળક કેવી રીતે શીખે છે એની સમજ આપી. વાલીઓ સમક્ષ બાળકોએ કરેલ પ્રવૃતિનું નિદર્શન તથા બાળકોની પ્રોફાઈલ નું નિદર્શન કરવામાં આવ્યું. વાલીઓમાં પ્રજ્ઞા બાબતે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
                                    આજની વાલી મીટીંગનો હેતુ સફળ રહ્યો.
                                     આજની મીટીંગની તસ્વીર ............








No comments:

Post a Comment