અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday 9 August 2014

રક્ષાબંધન પર્વ ઉજવણી


સૌને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ 
              આજરોજ તારીખ - ૯/૮/૨૦૧૪ ને શનિવારના દિને શાળામાં પ્રાસંગિક અને ધાર્મિક પર્વ ઉજવણી અંતર્ગત રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. આજે સૌ પ્રથમ સવારે શાળાની સમૂહ પ્રાર્થના દરમ્યાન  શાળાના ઉપ શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે પોતાની ગુરુવાણીમાં બાળકોને સુંદર બાળ વાર્તા દ્વારા માનવતાનો ગુણ વિકસાવી એક માનવ બનવાની પ્રેરણા આપી. બાદમાં બાળકોને રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું. અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.  જેવા પત્રો નું ઉદાહરણ આપી  આ પર્વનું મહત્વ સમજાવ્યું.  સૌને આ પર્વની શુભેચ્છા પાઠવી.       

                    બાદમાં શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે પોતાની આગવી ભાષામાં રક્ષાબંધનમાં પર્વની ઉજવણીની નાનામાં નાની બાબતો સમજાવી. બાળકોને રાખડીનું મહત્વ જુદા-જુદા ધાર્મિક ઉદાહરણો દ્વારા બતાવ્યું. એમણે પણ આજના પર્વનું ધાર્મિક અને સામાજિક મહત્વ બાળકોને બતાવ્યું. સાથે - સાથે શાળાના શિક્ષકો અને બાળકોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી.          

                          ત્યાર બાદ ધોરણ - ૧ થી ૮ ના બાળકોએ આજના પર્વની ઉજવણી કરી. જેમાં શાળાના વિદ્યાર્થીઓને શાળાની બાલિકાઓએ રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું. એ સાથે બાલિકાઓએ શાળાના શિક્ષકો અને શિક્ષિકા બહેનોને રાખડી બાંધી પ્રસંગની ઉજવણી કરી. આજનો પ્રસંગે શાળાનું વાતાવરણ ધર્મિક રહ્યું. 

સૌને રક્ષાબંધનની ખુબ -ખુબ શુભેચ્છાઓ.             

આજના પ્રસગ ઉજવણીની તસ્વીરો........




No comments:

Post a Comment