રાજ્યના મુખ્ય મંત્રી માનનીય શ્રી આનંદીબેન પટેલ દ્વારા પ્રેરિત " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી આપણે સૌ તારીખ - ૧ / ૯/૨૦૧૪ થી ૫/૯/૨૦૧૪ દરમ્યાન યોજી રહ્યા છે.
" જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી અમારી શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર તારીખ ૩/૯/૨૦૧૪ ના ત્રીજા દિવસે શાળામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. આજના દિવસે શાળાના બાળકો દ્વારા સ્વશિક્ષણ કરવામાં આવ્યું. પ્રથમ સવારે શાળાની શરૂઆત પ્રાર્થનાથી કરી. પ્રાર્થના સભાનું સંચાલન બાળકો દ્વારાજ કરવામાં આવ્યું. પછી તાસની ફાળવણી મુજબ પુરા દિવસ દરમિયાન બાળકો દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું. આખા દિવસ દરમિયાન બાળકોએ ખુબજ સરસ રીતે શાળાનું સંચાલન કર્યું.
આજના દિવસ દરમિયાન કરેલ પ્રવૃતિની ઝલક..........
આજના દિવસ દરમિયાન કરેલ પ્રવૃતિની ઝલક..........
No comments:
Post a Comment