અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 30 September 2015

ડો.આંબેડકર જયંતી ઉજવણી - ૨૦૧૫

                                     ડો.આંબેડકર જયંતી ઉજવણી - ૨૦૧૫ 


                 ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત અમારી શાળાક્ક્ષાએ વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ધોરણ- ૬ થી ૮ ના બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વક્તુત્વ રજુ કરનાર  ધોરણ- ૮ નો વિદ્યાર્થી મોનીલ ચંદ્રકાંતભાઈ પટેલ અને નિબંધ લેખન સ્પર્ધામાં ધોરણ- ૬ ની વિદ્યાર્થીની શ્રેયા મુકેશભાઈ પટેલ વિજેતા થયા.  આ બાળકોએ કેન્દ્રની શાળાના બાળકો સાથે સ્પર્ધા કરી કેન્દ્રમાં પણ પ્રથમ ક્રમે વિજેતા થયા.
                              આ બને વિજેતા વિદ્યાર્થીઓએ તાલુકાક્ક્ષાએ ભાગ લીધો. જેમાં વક્તુત્વ રજુ કરનાર  ધોરણ- ૮ નો વિદ્યાર્થી મોનીલ ચંદ્રકાંતભાઈ પટેલ પ્રભાવશાળી દેખાવ કરી પ્રથમ ક્રમ મેળવ્યો. જયારે   નિબંધ લેખન સ્પર્ધામાં ધોરણ- ૬ ની વિદ્યાર્થીની શ્રેયા મુકેશભાઈ પટેલે પણ ઉત્કૃષ્ઠ દેખાવ કરી પ્રથમ ક્રમે  વિજેતા થયા. એમણે શાળા અને ગામનું નામ રોશન કર્યું. 
                                આ બને વિજેતા વિદ્યાર્થીઓએ જીલ્લાક્ક્ષાએ ભાગ લીધો. જેમાં વક્તુત્વ રજુ કરનાર  ધોરણ- ૮ નો વિદ્યાર્થી મોનીલ ચંદ્રકાંતભાઈ પટેલ વક્તુત્વ રજુ કર્યું. અને નિબંધ લેખન સ્પર્ધામાં ધોરણ- ૬ ની વિદ્યાર્થીની શ્રેયા મુકેશભાઈ પટેલ એમ બંને વિદ્યાર્થીઓએ  જીલ્લા ક્ક્ષાની સ્પર્ધામાં તાલીમ ભવન નવસારી ખાતે ભાગ લઇ પ્રભાવશાળી દેખાવ કરી સૌને પ્રભાવિત કર્યા. શિલ્ડ અને પ્રમાણપત્ર મેળવી શાળાનું નામ રોશન કર્યું.  બંને બાળકોને શાળાના ઉપ શિક્ષક શૈલેષભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું. બંને વિજેતા વિદ્યાર્થીઓનું શાળામાં આચાર્યના હસ્તે સન્માન કરવામાં આવ્યું. અને શાળા પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવ્યા. વધુ પ્રગતિ માટે આર્શીર્વાદ આપ્યા.

No comments:

Post a Comment