અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday, 12 September 2015

જ્ઞાન સપ્તાહ ઉજવણી

જ્ઞાન સપ્તાહ ઉજવણી

પહેલો  દિવસ - બીજો દિવસ 

                                     રાજ્યના મુખ્ય મંત્રી માનનીય શ્રી આનંદીબેન પટેલ દ્વારા પ્રેરિત " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી આપણે સૌ તારીખ - ૮/૯/૨૦૧૫  થી ૧૫/૯/૨૦૧૫  દરમ્યાન યોજી રહ્યા છે.
                                       અમારી શાળામાં તારીખ- ૮/૮/૨૦૧૫અને ૯ /૯/૨૦૧૫ ના રોજ કાર્યક્રમ મુજબ શાળા સફાઈ યોજવામાં આવી. શાળાનું મેદાન , શાળાનું કુમાર - કન્યાનું શોચાલય , શાળાની પાણીની ટાંકી વગેરેની સફાઈ કરવામાં આવી  બાદમાં શાળામાં ધોરણવાર કરવાની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી. જેમાં પ્રથમ વર્ગ સુશોભન દરેક ધોરણમાં યોજવામાં આવ્યું. ત્યાર બાદ ધોરણ ૧ અને ૨ માં કાગળકામ, બાળવાર્તા - ધોરણ ૩ અને ૪ માં માટીકામ , વાંચન - ધોરણ- ૫ માં કાગળકામ.વગેરે
                  "જ્ઞાન સપ્તાહ " ના આજના પ્રથમ દિવસને શાળાના બાળકો અને શિક્ષકોએ ખુબજ ઉત્સાહથી ઉજવ્યો.

                                          ત્રીજો દિવસ  


                             "જ્ઞાન સપ્તાહ " ઉજવણીની ત્રીજા  દિવસે તારીખ- ૧૦/૯/૨૦૧૫. . શાળામાં આજના ત્રીજા  દિવસના કાર્યક્રમની શરૂઆત  શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ પ્રથમ સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના દરમ્યાન ધોરણ ૬ થી ૮ ના બાળકોને શાળાના ઉપ શિક્ષક શ્રી રાજેશભાઈ પટેલે યૌગિક ક્રિયાઓ અને આસનો કરાવ્યા. યોગ- આસનોના આપણા જીવનમાં ફાયદાઓ સમજાવ્યા.
                                  બાદમાં આજના આયોજન મુજબ ધોરણ-૬ થી ૮ માં આજે  દિવસ કૃષ્ણ ભક્તિ  ગીત ગાન ,  સ્પર્ધા કરવામાં આવી. બાળકોએ પોતાની તૈયારીઓ મુજબ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 
                                    ધોરણ- ૧ થી ૫ માં પણ આયોજન મુજબ શિક્ષિકાબેનોએ બાળકોને યોગાસનો કરાવી સમજ આપી. ત્યાર બાદ આયોજન મુજબ એમના ધોરણોમાં બાળરમતોની  પ્રવૃત્તિ યોજવામાં આવી. બાળકોએ પોતાની તૈયારીઓ મુજબ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 
                
                                                                   ચોથો દિવસ 

                         "જ્ઞાન સપ્તાહ " ઉજવણીની ચોથા  દિવસે તારીખ- ૧૧/૯/૨૦૧૫ . શાળામાં આજના ચોથા  દિવસના કાર્યક્રમની શરૂઆત  શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ પ્રથમ સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના દરમ્યાન ધોરણ ૬ થી ૮ ના બાળકોને શાળાના ઉપ શિક્ષક શ્રી રાજેશભાઈ પટેલે યૌગિક ક્રિયાઓ અને આસનો કરાવ્યા. યોગ- આસનોના આપણા જીવનમાં ફાયદાઓ સમજાવ્યા.
                      બાદ દિવસના બીજા સત્રમાં માં આજના આયોજન મુજબ ધોરણ-૬ થી ૮ માં આજે  દિવસ કૃષ્ણ ભક્તિ  ગીત ગાન  સ્પર્ધા, અને રાખડી બનાવવાની સ્પર્ધા કરવામાં આવી. બાળકોએ પોતાની સુઝબુઝથી રંગ-બે રંગી રાખડીઓ તૈયાર કરી હોંશે-હોંશે ભાગ લીધો. બાદમાં ધોરણ- ૬ થી ૮ ના  બાળકોએ સામાન્ય જ્ઞાન ક્વીઝ  સ્પર્ધામાં ભાગ લઇ પોત પોતાનું પરફોર્મન્સ આપી વિજેતા બનવાનો પ્રયત્ન કર્યો. સ્પર્ધાનું સંચાલન આચાર્ય શ્રીના માર્ગદર્શન મુજબ શિક્ષકો દ્વારા સંચાલન કરવામાં આવ્યું. પોતાની તૈયારીઓ મુજબ બાળકોએ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 

                                                        પાંચમો  દિવસ

                               "જ્ઞાન સપ્તાહ " ઉજવણીની ચોથા  દિવસે તારીખ- ૧૨/૯/૨૦૧૫ . શાળામાં આજના પાંચમા  દિવસના કાર્યક્રમની શરૂઆત  શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ પ્રથમ સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના દરમ્યાન ધોરણ ૬ થી ૮ ના બાળકોએ  યૌગિક ક્રિયાઓ અને આસનો કરાવ્યા. 
                   " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી અમારી શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર આજના દિવસે શાળાના બાળકો દ્વારા સ્વશિક્ષણ કરવામાં આવ્યું. પ્રથમ સવારે શાળાની શરૂઆત પ્રાર્થનાથી કરી. પ્રાર્થના સભાનું સંચાલન બાળકો દ્વારાજ કરવામાં આવ્યું. પછી તાસની ફાળવણી મુજબ પુરા દિવસ દરમિયાન બાળકો દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું. આખા દિવસ દરમિયાન બાળકોએ ખુબજ સરસ રીતે શાળાનું સંચાલન કર્યું.










                

No comments:

Post a Comment