અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 1 September 2014

જ્ઞાન સપ્તાહ ઉજવણી -૨૦૧૪ - પ્રથમ દિવસ

      
                                    જ્ઞાન સપ્તાહ ઉજવણી -૨૦૧૪ 
                  રાજ્યના મુખ્ય મંત્રી માનનીય શ્રી આનંદીબેન પટેલ દ્વારા પ્રેરિત " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી આપણે સૌ તારીખ - ૧ / ૯/૨૦૧૪ થી ૫/૯/૨૦૧૪ દરમ્યાન યોજી રહ્યા છે.
                   " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી અમારી શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર તારીખ ૧/૯/૨૦૧૪ ના પ્રથમ દિવસે શાળામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. સવારે ૮:૦૦ કલાકે માનનીય મુખ્ય મંત્રીશ્રીના પ્રવચનને બાઈસેગ દ્વારા સૌએ માણ્યો. બાદમાં શાળામાં ધોરણવાર કરવાની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી. જેમાં પ્રથમ શાળા સફાઈ , વર્ગ સુશોભન દરેક ધોરણમાં યોજવામાં આવ્યું. ત્યાર બાદ ધોરણ ૧ અને ૨ માં કાગળકામ, બાળવાર્તા - ધોરણ ૩ અને ૪ માં માટીકામ , વાંચન - ધોરણ- ૫ માં કાગળકામ. આદર્શવાંચન , - ધોરણ-૬-૭-૮ માં વિજ્ઞાન પ્રયોગ નિદર્શન, ગુજરાતી / અંગ્રેજી સુલેખન, ગણિત ક્વીઝ જેવી પ્રવૃત્તિ કરવામાં આવી. "જ્ઞાન સપ્તાહ " ના આજના પ્રથમ દિવસને શાળાના બાળકો અને શિક્ષકોએ ખુબજ ઉત્સાહથી ઉજવ્યો.
                           આજના પ્રસગની તસ્વીર ----






No comments:

Post a Comment