માધ્યમિક શિષ્યવૃતિ પરિક્ષા - ૨૦૧૫-૧૬
માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા - ૨૦૧૫-૧૬
તારીખ- ૧૮/૧૦/૨૦૧૫ ને રવિવારના દિને તાલુકા શાળા ધના ભાવસાર કુમાર શાળામાં રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક - માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા - ૨૦૧૫નું આયોજન થયેલ. જેમાં ધોરણ- ૮ ના બાળકો માટે માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા યોજાઈ હતી .
અમારી શાળાના ધોરણ- ૮ ના ૨૪ બાળકોએ માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષામાં ભાગ લીધો. જેમાં શાળાનો વિદ્યાર્થી મોનીલ ચંદ્રકાંતભાઈ પટેલ નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં ચોથો ક્રમ મેળવી શાળા અને ગામનું નામ રોશન કરે છે. સાથે સાથે આ પરિક્ષામાં ભાગ લેનાર તમામ બાળકો પણ સારા ગુણ સાથે પાસ થયેલ છે. આ પરિક્ષામા અમારી શાળામાંથી વધુ બાળકોએ ભાગ લઇ પોતાની પ્રતિભા રજુ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો. જેમાં શાળાના તમામ ભાગ લેનાર બાળકો સારા ગુણ સાથે પાસ થઇ શાળા અને ગામનું નામ રોશન કરેલ છે.
સૌને શાળા પરિવાર તરફથી ઉજ્વળ કારકિર્દી માટે શુભેચ્છા.....
શાળાનું પરિણામ |
ગણદેવી તાલુકામાં શાળાનું મેરિટ |
No comments:
Post a Comment