અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Sunday 11 August 2013

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ જન્મદિન ઉજવણી

              ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ નો  જન્મ ૧૨ ઓગષ્ટ ૧૯૧૯ ના રોજ અમદાવાદમાં થયો હતો. એઓ ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. તે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે. એમના જન્મદિન ની ઉજવણી અમારી શાળામાં ધામધુમથી  કરવામાં આવી. તારીખ- ૮/૮/૨૦૧૩ ના રોજ શાળાના   આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલ , વિજ્ઞાન શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલ , શ્રી જયંતીલાલ પટેલ  અને શાળાના ધોરણ- ૬ થી ૮ ના બાળકો દ્વારા કરવામાં આવી. પ્રથમ બાળકોને  ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ના જીવન વિષે આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે સમજ આપી.  વિજ્ઞાન શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે વિજ્ઞાનની શિક્ષણમાં ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપ્યું. ડૉ.વિક્રમ સારાભાઇ ના જીવન પ્રસગોની  વાતો કરી એમણે કરેલ વિજ્ઞાનની  સિધ્ધિઓ વિષે સમજ આપી. શાળાના ધોરણ- ૬ થી ૮ ના બાળકો દ્વારા વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગો અને પ્રવૃતિઓનું નિદર્શન કરાવી આજના પ્રસગની ઉજવણી કરી . બાળકોએ કરેલ પ્રવૃત્તિ અને પ્રયોગો નિહાળી સૌ પ્રભાવિત થયા . 
                          આજની ઉજવણીની બોલતી તસ્વીર ......











No comments:

Post a Comment