અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday 13 June 2014

Prvesotsav- 2014

                         શાળાના નવા શૈક્ષણિક સત્ર - ૨૦૧૪-૧૫ ની શુભ શરૂઆત તારીખ - ૯/૬/૨૦૧૪ના રોજ થઈ ગઈ. સાથે સાથે શાળામાં નવા પ્રવેશ લેનારા બાળકો માટે સરકાર શ્રી નો ' શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૪ '  ની ઉજવણી તારીખ ૧૨/૬ ,૧૩/૬ ,૧૪/૬/૨૦૧૪ના દિવસો દરમ્યાન નક્કી કરવામાં આવ્યો. અમારી શાળામાં આ કાર્યક્રમ તારીખ- ૧૩/૬/૨૦૧૪નાં દિને એટલે કે આજ રોજ રાખવામાં આવ્યો.
                             આજરોજ શાળાના પટાંગણમાં " શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૪" કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલ શ્રી આર.સી.પટેલ. વિધાનસભાના દંડક ગુજરાત સરકાર  , માજી ધારાસભ્ય શ્રી લક્ષ્મણભાઈ પટેલ, તાલુકાના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ, નાયબ જીલ્લા  વિકાસઅધિકારીશ્રી એ.જે.અન્સારી સાહેબ તથા અન્ય અધિકારી શ્રીઓની હાજરીમાં પોસરી શાળાના ધોરણ-૧મા પ્રવેશ લેનારા ૧૮ બાળકો, ધોરણ-૬મા પ્રવેશ લેનારા ૧૫ બાળકો અને ધોરણ- ૯ માં પ્રવેશ લેનારા ૨૫ બાળકોને શાળા પ્રવેશોત્સવ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો. ગામની અન્ય શાળા માસ્કરા પ્રાથમિક શાળાના ૬ બાળકો  અને સુઈતલાવડી વર્ગ શાળાના ૫ બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો. આગણવાડી ના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો.
                                      આજના પ્રસંગે વિશેષ સિદ્ધિ મેળવેલ બાળકોને પધારેલા મહેમાનો દ્વારા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. અધિકારીશ્રીઓએ આજના પ્રસગ અનુરૂપ વાતો કરી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું.

                           આજના પ્રસંગની તસ્વીર...................

અધિકારીશ્રીઓ નું સ્વાગત
















No comments:

Post a Comment