શાળાના બાળકો, શાળાના શિક્ષકો અને શાળાનું સર્વગ્રાહી મુલ્યાંકન એટલે ગુણોત્સવ.
આજરોજ તારીખ - ૨૦/૧૧/૨૦૧૪ ના દિને અમારી શાળામાં ગુણોત્સવ - ૫ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આજના ગુણોત્સવ -૫ અંતર્ગત શાળાનું મુલ્યાંકન માટે સરકારશ્રી દ્વારા નીમવામાં આવેલ અધિકારીશ્રી બી.સી.જે.સાર્વજનિક હાઇસ્કુલ બીગરીના આચાર્ય શ્રીમાન હિતેશભાઈ પઢિયાર સાહેબ પધાર્યા .
શાળામાં પ્રથમ બાળકો દ્વારા સમૂહ પ્રાર્થના યોજવામાં આવી. બાદમાં ગુણોત્સવ ના સમયપત્રક મુજબ ધોરણ- ૬ થી ૮ ના બાળકોનું શૈક્ષણિક મુલ્યાંકન રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રશ્નપત્ર દ્વારા કરવામાં આવ્યું. તે સાથે ધોરણ- ૨ થી ૫ ના તમામ બાળકોનું વર્ગ શિક્ષક દ્વારા વાંચન મુલ્યાંકન કરવામાં આવ્યું. અધિકારી શ્રી દ્વારા દરેક ધોરણમાં હાજર રહી કરવામાં આવતા મૂલ્યાંકનની ચકાસણી કરવામાં આવી. શાળાની મુલાકાત દ્વારા આજના અધિકારીશ્રી ખુબજ પ્રભાવિત થયા.
આજનો ગુણોત્સવ - ૫ કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ સમયપત્રક મુજબ પૂરો કરવામાં આવ્યો. શાળામાં થતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ અને સહભ્યાસિક પ્રવૃતિઓથી પધારેલ અધિકારીશ્રી ખુબજ પ્રભાવિત થયા. અને શાળાની વિશેષ પ્રગતિ માટે અભિનંદન આપ્યા.શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃતિઓ માટે શિક્ષકો બિરદાવી અભિનંદન આપ્યા.
આજના કાર્યક્રમની તસ્વીર .....
શાળામાં પ્રથમ બાળકો દ્વારા સમૂહ પ્રાર્થના યોજવામાં આવી. બાદમાં ગુણોત્સવ ના સમયપત્રક મુજબ ધોરણ- ૬ થી ૮ ના બાળકોનું શૈક્ષણિક મુલ્યાંકન રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રશ્નપત્ર દ્વારા કરવામાં આવ્યું. તે સાથે ધોરણ- ૨ થી ૫ ના તમામ બાળકોનું વર્ગ શિક્ષક દ્વારા વાંચન મુલ્યાંકન કરવામાં આવ્યું. અધિકારી શ્રી દ્વારા દરેક ધોરણમાં હાજર રહી કરવામાં આવતા મૂલ્યાંકનની ચકાસણી કરવામાં આવી. શાળાની મુલાકાત દ્વારા આજના અધિકારીશ્રી ખુબજ પ્રભાવિત થયા.
આજનો ગુણોત્સવ - ૫ કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ સમયપત્રક મુજબ પૂરો કરવામાં આવ્યો. શાળામાં થતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ અને સહભ્યાસિક પ્રવૃતિઓથી પધારેલ અધિકારીશ્રી ખુબજ પ્રભાવિત થયા. અને શાળાની વિશેષ પ્રગતિ માટે અભિનંદન આપ્યા.શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃતિઓ માટે શિક્ષકો બિરદાવી અભિનંદન આપ્યા.
આજના કાર્યક્રમની તસ્વીર .....
No comments:
Post a Comment