અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 24 December 2015

પ્રિ.ગુણોત્સવ - ૨૦૧૫-૧૬

                                    પ્રિ.ગુણોત્સવ - ૨૦૧૫-૧૬

                તારીખ ૨૩-૧૨-૨૦૧૫ ને બુધવારના રોજ અમારી શાળામાં પ્રિ.ગુણોત્સવ - ૨૦૧૫/૧૬ ના કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું. ગણદેવી તાલુકા પ્રાથમિક  શિ. સાહેબની મૌખિક સુચના મુજબ ધોરણ- ૧ થી ૮ ના બાળકો માટે પ્રિ. ગુણોત્સવ યોજવામાં આવ્યો.
                        અમારી શાળામાં તારીખ- ૨૩/૧૨/૨૦૧૫ ને બુધવારના દિને પ્રિ. ગુણોત્સવનું આયોજન થયું. શાળામાં ધોરણ- ૧ થી ૫ નો ગુણોત્સવ આગલા વર્ષોમાં થયેલ ગુણોત્સવ મુજબના ફોર્મેટ માં યોજવામાં આવ્યો. જયારે ધોરણ - ૬ થી ૮ માં પ્રશ્ન પત્ર લેખન અને વાંચન-ગણન- લેખન મૌખિક રીતે કરી બાળકોનું શૈક્ષણિક મુલ્યાંકન કરવામાં આવ્યું. સાથે - સાથે પ્રથમ સત્રના અભ્યાસક્રમનું પુનરાવર્તન કરવામાં આવ્યું. પ્રશ્નપત્ર ના ઉત્તરો OMR માં કરાવી પ્રેક્ટીસ આપવામાં આવી.
                        આજના પ્રશ્નપત્રમાં બાળકોને મળેલ ૧૦૦ પ્રશ્નનો ના ઉત્તર ૧૦૦ મીનીટની સમય મર્યાદામાં લખવાની પ્રેક્ટીસ કરવામાં આવી. આજના પ્રિ. ગુણોત્સવ માં ધોરણ - ૧ થી ૮ ના સૌ બાળકોએ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો.
                          આજના પ્રિ. ગુણોત્સવના પેપરના ઉત્તરો લખવાના પ્રયત્નો કરતાં બાળકોની તસ્વીર .








No comments:

Post a Comment