અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 28 January 2016

પ્રજાસત્તાક દિનની ઉજવણી-૨૦૧૬

પ્રજાસત્તાક  દિનની ઉજવણી-૨૦૧૬ 

                          પ્રજાસત્તાક  દિનની ઉજવણી-૨૦૧૬ 



                                અમારી શાળામાં ૬૭ માં પ્રજાસત્તાકદિન દિનની ઉજવણીના ભાગરૂપે તારીખ - ૨૬ / ૦૧ / ૨૦૧૬ ના દિને અમારી શાળામાં વિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી. 
        પ્રથમ રાજ્ય સરકારના કાર્યક્રમ મુજબ " દીકરીની સલામ દેશને નામ " ના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમ ગામની સૌથી વધુ ભણેલ દીકરી વીજલ મુકેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં ગામમાંથી આવેલ આગેવાનો એ પણ ધ્વજવંદનમાં ભાગ લીધો. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરનારા આપણા વીર સપુતોને શ્રધાંજલી આપવાનો અને એમણે દર્શાવેલ માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરવાનો આજનો દિવસ.
                 આજના પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજના  સાંસ્કુતિક કાર્યક્રમમાં શાળાના બાળકોએ બાળવાર્તા, વકતૃત્વ , દેશભક્તિ ગીત , અભિનય ગીત, નાટક , મ્યુઝીકલ ડાન્સ વગેરે રજુ કરી આમંત્રિતોને મંત્રમુગ્ધ કર્યા.શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે આજના પ્રસંગનું ઐતિહાસિક મહત્વ બતાવ્યું. સાથે સાથે શાળાની પ્રગતિનો ચિતાર રજુ કર્યો. 
                ધ્વજવંદન કાર્યક્રમ ગામની સૌથી વધુ ભણેલ દીકરી વીજલ મુકેશભાઈ પટેલ પણ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા.
                    આજના પ્રસંગની તસ્વીર.       











No comments:

Post a Comment