અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 1 February 2016

શાળા આરોગ્ય તપાસણી- ૨૦૧૬

શાળા આરોગ્ય તપાસણી - ૨૦૧૫/૧૬ 

                    ગુજરાત સરકાર દ્વારા  આયોજિત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ - ૨૦૧૫ /૧૬  અંતર્ગત અમારી શાળામાં  સરકારશ્રીના કાર્યક્રમ મુજબ બાળકોના આરોગ્યની તપાસ બીગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી. બાળકોમાં જોવા મળતા શ્વસન તંત્રના રોગ, ચામડીના રોગ, કાનમાં પરુ, દાંતનો સડો તેમજ આંચકીના રોગો જેવા રોગોની ચકાસણી કરવામાં આવી. તે સાથે બાળકોમાં વિટામીન એ, ડીની ઉણપ છે કે કેમ પાડુંરોગ, અતિગંભીર કુપોષણ, ગોઇડર સહિ‌તની પણ ચકાસણી કરવામાં આવી.બાળકમાં દૃષ્ટી ખામી, સાંભળવામાં તકલીફ, હલનચલનની ચેતાલક્ષી વિકૃતિ, હિ‌મોફીલીયા અને થેલેસેમિયાની પણ ચકાસણી કરવામાં આવી.

                     આજની આરોગ્યની તપાસણી  બાદ જરૂરિયાત મંદ બાળકોને દવાઓ પૂરી પાડવામાં આવી. 


આજના કાર્યક્રમની તસ્વીર ..............




No comments:

Post a Comment