અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday 7 March 2014

ગુણોત્સવ -૪ 2013/14 Date 6-3-2014

               રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ચકાસવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવેલ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૬/૩/૨૦૧૪ ના રોજ અમારી શાળામાં ગુણોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો. આજના ગુણોત્સવ કાર્યક્રમ માટે અમારી શાળામાં વિદ્યાર્થીઓનું  શૈક્ષણિક મૂલ્યાંકન અને શાળાનું  બાહ્ય મૂલ્યાંકન ચકાસવા રાજ્ય કક્ષાએથી પસંદગી થયેલ અધિકારી એવા શ્રી હસમુખભાઈ એમ.પટેલ સી.આર.સી.કો.ઓડીનેટર આલીપોર તાલુકા-ચીખલી. તથા શ્રી સ્નેહલભાઇ વી.પરમાર એચ.ટેટ આચાર્ય મોટી વાલઝર પ્રાથમિક શાળા તા.વાંસદા દ્વારા કરવામાં આવ્યું. આજના ગુણોત્સવના નિર્ધારિત કાર્યક્રમ મુજબ શરૂઆત  પધારેલા અધિકારીશ્રીની હાજરીમાં સવારે ૧૦:૩૦ કલાકે પ્રાર્થનાથી કરવામાં આવી. પ્રાર્થના બાદ ૧૧:૦૦ થી ૧૨:૪૦ સુધી ધોરણ- ૬, ૭ અને ૮ ની પરિક્ષા ઓ.એમ.આર. પધ્ધતિથી આવેલા પેપરો દ્વારા  લેવામાં આવી. ત્યાર પછી  ગુણોત્સવના નિર્ધારિત કાર્યક્રમ મુજબ ધોરણ - ૨, ૩, ૪ અને ૫ માં વાંચન, લેખન અને ગણન ની ચકાસણી કરવામાં આવી. સાંજે ૪:૪૫ કલાકે શાળાના બાળકોએ અધિકારીશ્રી હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી સૌને પ્રભાવિત કરી દીધા.
                      આજના ગુણોત્સવ કાર્યક્રમ દ્વારા  શાળામાં વિદ્યાર્થીઓનું  શૈક્ષણિક મૂલ્યાંકન અને શાળાનું  બાહ્ય મૂલ્યાંકન ચકાસવા આવેલા બંને અધિકારીશ્રીઓ શાળાની દરેક પ્રવૃત્તિઓ જોઈ ખુબજ પ્રભાવિત થયા. શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલ અને શાળાના શિક્ષકોને અભિનંદન આપી બિરદાવવામાં આવ્યા. શાળા વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા આપી.

                            આજના ગુણોત્સવ કાર્યક્રમ ની ઝલક બતાવતી તસ્વીર ......

અધિકારીશ્રીઓનું સ્વાગત 
ઓ.એમ.આર.પદ્ધતિથી કસોટી આપતા બાળકો 
ધોરણ-૨ બાળકોનું મુલ્યાંકન 

આજનો દીપક ને શુભેચ્છા 

ધોરણ-૪ ના બાળકોનું મુલ્યાંકન 

સાંસ્કૃતિક કાર્યક્રમ 
સાંસ્કૃતિક કાર્યક્રમ - લોકનૃત્ય 




No comments:

Post a Comment