અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 12 March 2014

જન્મદિનની ઉજવણી

                આજનો દિવસ  અમારી શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલનો જન્મદિવસ. આજના દિવસની ઉજવણી શાળાના બાળકોએ અનોખી રીતે ઉજવ્યો. બાળકોએ સવારે પોતાની રીતે સુશોભન કરી તૈયાર કરેલ વર્ગમાં આચાર્યશ્રીને પ્રવેશ આપી તાળીઓના ગડગડાટથી હેપી બર્થડે કરવામાં આવ્યું.બાળકોએ પોતાની રીતે લાવેલ બર્થડે કેક કપાવી અને આચાર્યશ્રીની ૩૧ મી વર્ષ ગાંઠ હોય ૩૧ ઝગમગતા દીવડાઓ પ્રગટાવી અનોખી ઉજવણી કરી.શાળાના તમામ શિક્ષકોએ શ્રી સંદીપકુમાર પટેલને જન્મદિવસ નિમિત્તે હેપી બર્થડે કરી શુભકામનાઓ આપી.
                    શાળાના બાળકો અને શિક્ષકોના આવા કાર્યને બિરદાવી સૌને ધન્યવાદ અને શુભેચ્છા આપી. આચાર્યશ્રી દ્વારા શાળાના તમામ બાળકો અને શિક્ષકોને મીઠાઈ ખવડાવી સૌનું મોં મીઠું કરાવવામાં આવ્યું.
                    
                      આજના પ્રસંગની તસ્વીર................







No comments:

Post a Comment