અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 26 March 2014

મતદાર જાગૃતિ રેલી

                    આજ રોજ અમારી શાળામાંથી ભારતના ચુંટણી પંચની સુચના મુજબ આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને " મતદાર જાગૃતિ અભિયાન " કાર્યક્રમ અંતર્ગત આગામી લોકસભાની ચુંટણીમાં વધુમાં વધુ મતદારો ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને ગામના મતદારો જાગ્રત બને એ માટે  એક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

                      આજની આ રેલીમાં ધોરણ-૮ ના બાળકો અને શાળાના તમામ શિક્ષકો સાથે આગણવાડીના તમામ બહેનો તથા જેના માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલ એવા ગામના ઉત્સાહી મતદારોએ ભાગ લીધો. સૌ પ્રથમ રેલી પ્રાથમિક શાળામાંથી નીકળી. ગામના મતદારો રેલીમાં જોડાયા પછી ગામના જુદા-જુદા ફળિયામાં સુત્રોચ્ચાર કરતા કરતા ફરી. રેલી દ્વારા ગામના મતદારોને પ્રભાવિત કરવામાં આવ્યા.
               
                        શાળાના બાળકો અને જાગ્રત મતદારોએ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો.

                         આજની રેલીની તસ્વીર ..............














No comments:

Post a Comment