અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 12 March 2014

વાર્ષિક નિરીક્ષણ - ૨૦૧૩/૧૪

                   આજનો દિવસ શાળા માટે અનોખો દિવસ રહ્યો. આજરોજ અમારી શાળામાં શાળાનું શૈક્ષણિક સ્તર અને ભૌતિક બાબતોની ચકાસણી માટે શાળાનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું.આજના વાર્ષિક નિરીક્ષણ માટે શાળામાં અમારા વિભાગના બીટ નિરીક્ષક શ્રી કિશોરભાઈ ડી. પટેલ સાહેબ અને એમના સાથી કાર્યકર દેવસર - ૨ પ્રાથમિક શાળાના એચ.ટેટ આચર્યા શ્રી અને મિસ્ત્રી પ્રાથમિક શાળાના એચ.ટેટ આચર્યા શ્રી પધાર્યા. 
                        પધારેલા અધિકારીશ્રીઓએ શાળાના ૧ થી ૮ ધોરણના બાળકોને વિવિધ શૈક્ષણિક બાબતોના પ્રશ્નો પૂછી શૈક્ષણિક સ્તરની ચકાસણી કરી. સાથે સાથે વર્ગખંડમાં બાળકોએ કરેલ વિવિધ સહભ્યાસિક પ્રવૃત્તિઓ ચકાસવામાં આવી. દરેક વર્ગના બાળકોએ ખુબજ સારો દેખાવ કર્યો. પધારેલા અધિકારીશ્રીઓને શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે જરૂરી માહિતી પૂરી પાડી. ધોરણ ૧ થી ૮ ના તમામ વર્ગના બાળકોએ શૈક્ષણિક બાબતો ખુબજ સારી રીતે રજુ કરી.અધિકારીશ્રીઓ ખુબ પ્રભાવિત થયા.
                            આમ શૈક્ષણિક બાબતોની ચકાસણી પછી શાળા દફતરી કામગીરી તપાસવામાં આવી.શાળાના મોટાભાગના દફતરો કમ્પ્યુટર ડેટાબેઝ દ્વારા તૈયાર કરેલા જોઈ અધિકારીશ્રીઓ ખુબજ પ્રભાવિત થયા. આજના વાર્ષિક નિરિક્ષણ દ્વારા શાળાની શૈક્ષણિક બાબતો, શાળાની  ભૌતિક બાબતો તથા દફતરી કાર્યના નિરિક્ષણ પછી અધિકારીશ્રીઓએ શાળાએ કરેલા કાર્યને બિરદાવ્યા. સાથે સાથે શાળાની વધુ પ્રગતિ માટે શાળાના બાળકો, શાળાના આચાર્યશ્રી, શાળાના શિક્ષકોને શુભકામનાઓ આપી.

                            આજના પ્રસંગની તસ્વીર............................

માનનીય બીટ નિરીક્ષક શ્રી અને અધિકારીશ્રીઓ

પ્રમાણપત્ર વિતરણ 
વર્ગ નિરિક્ષણ કરતા અધિકારીશ્રી

No comments:

Post a Comment