અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Tuesday 2 September 2014

જ્ઞાન સપ્તાહ ઉજવણી - બીજો દિવસ

જ્ઞાન સપ્તાહ ઉજવણી - બીજો દિવસ 
                        "જ્ઞાન સપ્તાહ " ઉજવણીની આજે બીજો દિવસ . શાળામાં આજના બીજા દિવસના કાર્યક્રમની શરૂઆત  શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ પ્રથમ સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના દરમ્યાન ધોરણ ૬ થી ૮ ના બાળકોને શાળાના ઉપ શિક્ષક શ્રી રાજેશભાઈ પટેલે યૌગિક ક્રિયાઓ અને આસનો કરાવ્યા. યોગ- આસનોના આપણા જીવનમાં ફાયદાઓ સમજાવ્યા.
                                  બાદમાં આજના આયોજન મુજબ ધોરણ-૬ થી ૮ માં આજના પુરા દિવસ દરમ્યાન વકતૃત્વ સ્પર્ધા , નિબંધ લેખન સ્પર્ધા , સામાન્ય જ્ઞાન ક્વીઝ સ્પર્ધા , દેશભક્તિ ગીત ગાન , ચેસ-કેરમ સ્પર્ધા, કરવામાં આવી. બાળકોએ પોતાની તૈયારીઓ મુજબ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 
                                    ધોરણ- ૧ થી ૫ માં પણ આયોજન મુજબ શિક્ષિકાબેનોએ બાળકોને યોગાસનો કરાવી સમજ આપી. ત્યાર બાદ આયોજન મુજબ એમના ધોરણોમાં સામાન્ય વકતૃત્વ સ્પર્ધા, લેખન સ્પર્ધા, સામાન્ય જ્ઞાન ક્વીઝ સ્પર્ધા , કાવ્યગાન , દેશભક્તિ ગીત ગાન , બાળરમતો વગેરે પ્રવૃત્તિ યોજવામાં આવી. બાળકોએ પોતાની તૈયારીઓ મુજબ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 
                                 આજના પ્રસંગની આછી ઝલક .....








No comments:

Post a Comment