અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 4 September 2014

જ્ઞાન સપ્તાહ ઉજવણી - ચોથો દિવસ

                       રાજ્યના મુખ્ય મંત્રી માનનીય શ્રી આનંદીબેન પટેલ દ્વારા પ્રેરિત " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી આપણે સૌ તારીખ - ૧ / ૯/૨૦૧૪ થી ૫/૯/૨૦૧૪ દરમ્યાન યોજી રહ્યા છે.
                   " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી અમારી શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર તારીખ ૪/૯/૨૦૧૪ ના ચોથા  દિવસે શાળામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. આજનાદિવસે સવારે સમૂહ પ્રાર્થના પહેલા વ્યસનમુક્તિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું. વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સુત્રોનું ઉચ્ચારણ કરી બાળકોએ ગ્રામજનોને જાગ્રત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.બાદમાં શાળાના હોલમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોને ભેગા કરી શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે બાળકોને વ્યસન કરવાથી થતા ગંભીર રોગો અંગેની સમજ આપી. બાળકોને વ્યસનની ટેવો ન રાખવા સમજાવ્યા. બાળકોને પોતાના કુટુંબના સભ્યોને વ્યસનથી થતા ગંભીર રોગોની સમજ આપવા જણાવ્યું. સાથે સાથે પોતાના કુટુબના વ્યસન  કરતા એક વ્યક્તિને વ્યસન મુક્ત કરવા તાકીદ કરી.
                               બાદમાં આજના કાર્યક્રમ મુજબ વેશભૂષા, એકપાત્રી અભિનય બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યા. આજની વેશભૂષા - એકપાત્રી અભિનયમાં શિક્ષક, જાદુગર, સરદાર પટેલ, પાયલોટ, ભૂત,શાકભાજીવાળી , ફુગ્ગાવાળો  જેવા સરસ પત્રો ભજવ્યા.બાળકોએ ખુબજ હોંશે - હોંશે ભાગ લીધો.
                                 અન્ય કાર્યક્રમ મુજબ અંગ્રેજી ક્વીઝ ધોરણ - ૬ થી ૮ માં યોજવામાં આવી. બાદમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ચિત્ર સ્પર્ધામાં ધોરણ - ૬ થી ૮ ના તમામ બાળકોએ ભાગ લઇ ખુબજ સરસ ચિત્રો બનાવ્યા. દેશભક્તિગીતો બાળકોને સંભળાવવામાં આવ્યા.
                              આજનો દિવસ બાળકો માટે ખરેખર આનંદદાય રહ્યો.
                               આજના પ્રસંગની તસ્વીરો.............

વેશભૂષા 

વેશભૂષા 

વેશભૂષા- એકપાત્રી અભિનય 

એકપાત્રી અભિનય 

ક્વીઝ સ્પર્ધા 




  

No comments:

Post a Comment