આજે તારીખ- ૧૨ મી માર્ચ . આજથી ૮૩ વર્ષ પૂર્વે ૧૯૩૦ ની ૧૨ મી માર્ચે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવા અમદાવાદની સાબરમતી આશ્રમથી નવસારી નજીકના દાંડી સુધી પગપાળા કુચ કરી હતી. ૨૫ દિવસમાં આશરે ૨૪૧ માઈલ કુચ કરી એમનો કાફલો ૫ મી અપ્રિલે દાંડીના દરિયા કિનારે પહોચ્યો. ૬ અપ્રિલે સવારે સ્નાન કરી નિત્યક્રમ મુજબ પ્રાથના કાર્ય પતાવી મહાત્મા ગાંધી બાપુએ કિનારા પરથી ચપટી મીઠું ઉપાડી સવિનય કાનુન ભંગ કર્યો.
No comments:
Post a Comment