અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Tuesday, 14 August 2012

  ભજન

 જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો.
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,
દીન-દુખિયાનાં આંસુ લોતાં, અંતર કદી ધરાજોમારું જીવન અંજલિ થાજો.
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી, અમૃત ઉરનાં પાજોમારું જીવન અંજલિ થાજો.
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો,
હૈયાનાં પ્રત્યેક સ્પંદને, તારું નામ રટાજોમારું જીવન અંજલિ થાજો.
વમળોની વચ્ચે નૈયા મુજ, હાલક્ડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો, ના કદી ઓલવાજોમારું જીવન અંજલિ થાજો.
કરસનદાસ માણેક


No comments:

Post a Comment